________________
૨૦
ધ્યાન અને જીવન
વેશ્યાને તો ધન્યવાદ આપવા સાથે છોડી મૂકી. પણ વેશ્યાના ગયા બાદ ચોરને શૂળીની સજા ફરમાવી દીધી.
બસ, ચોરને શૂળીએ ચડાવવા લઈ ગયા. એ વેશ્યાની જાણમાં આવતાં, તરત એ રાજા પાસે ચોરને ધર્મ સંભળાવવાની રજા માગીને પહોંચી વધસ્થાને. ત્યાં તે ચોરને શૂળી દઈ દીધેલી. વેશ્યાએ એને નમસ્કારમંત્ર સંભળાવવા માંડ્યો. સાથે કહ્યું ‘“જોજે, રાજા પર કે આ સિપાઈઓ પર જરાય ગુસ્સો કરીશ ના. તારાં દુષ્કૃત્ય પર તિરસ્કાર કરજે અને હવે મરવાની તૈયારી છે તો આ નમસ્કાર-મહામંત્રમાં જ ધ્યાન રાખજે. વળી નિયાણું કર કે હું આ રાજાનો પુત્ર થાઉં' જેથી પછી તારો ને મારો બંનેનો પરસ્પર ઉદ્ધાર કરીએ.’
ચોરને વેશ્યા પર પ્રેમ તો હતો જ, પાછું બહુમાન અથાગ થયું હતું અને અંતકાળે આ શિખામણ દે છે, તેથી મનમાં રાજપુત્ર થવાનો સંકલ્પ કરી નમસ્કારમંત્રનાં ધ્યાન પર ચડી ગયો. કહેવાની જરૂર નથી કે એ નમસ્કારના પ્રભાવે મરીને રાણીના ગર્ભમાં ગયો. વેશ્યા અહીં દહાડા ગણે છે. નવ મહિને રાણીને પુત્ર જન્મ્યો એટલે વેશ્યાએ તારણ કાઢ્યું કે ‘નક્કી એ જ ચંડપિંગલ આ રાજપુત્ર થયો.’
હવે એ બાળને પ્રતિબોધ કરવો છે, તેથી વેશ્યા રાજા પાસે જઈ રાજપુત્રને ઝુલણે ઝુલાવવાનું માગી લે છે. ત્યાં પછી ઝુલાવતાં ‘ઝુલો રે ઝુલો ચંડપિંગલા !...' વારંવાર ગાણું ગાતાં, બાળકને એ સાંભળી જાતિસ્મરણ થયું, હર્ષિત બન્યું. એ જોઈ વેશ્યાને આશા બંધાણી. બોલતું થયે વાત કરી. વેશ્યાએ ધર્મ સમજાવ્યો. અંતે બંનેએ કલ્યાણ સાધ્યું.
મનને જીતવા એને ખીલે બાંધો :
ચોર એવા પણ ચંડપિંગલને અંતે પણ નવકારનું ધ્યાન લાગતાં એ કેવી સુંદર સદ્ગતિ અને ધર્મ પામ્યો ? તો રોજનાં જીવનમાં નમસ્કારમંત્રનું સચોટ ધ્યાન કરતાં કેવું કલ્યાણ થાય ? પરંતુ એ તન્મય અને ગદ્ગદ થઈને, બીજા વિચારો દૂર રાખી કરાવું જોઈએ. પ્રભાતે પંદર મિનિટ પણ એવું ધ્યાન કરાય, તો એ આખા દિવસ પર સારી અસર પાડે છે. 0 કલાક પણ નવકાર પરમેષ્ઠિ-ધ્યાન એટલે મનને સંસાર પરથી ઉઠાડી મૂકવું અને સારા આલંબનના ખીલે બાંધવું. જો મનને ખીલે બાંધી શકો તો એ આત્માનો મન પર મહાન વિજય છે. ખીલે બાંધવા શું કરવું ? સારું આલંબન જોઈએ. એ આલંબનમાં પહેલા નંબરનું આલંબન અરિહંત, અરિહંત-નમસ્કાર, પરમેષ્ઠિનમસ્કાર, નમસ્કાર-મહામંત્ર.
અરિહંત-નમસ્કાર શા માટે ? :
પ્રભાતે ઊઠતાં જ મનમાં ‘નમો અરિહંતાણં' યાદ આવે. આપણે ત્યાં નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org