________________
૧૯
ન ધ્યાન અને જીવન - કોઈની હિંસામાં નિમિત્ત પણ ન થાઉં? પેલી તો વેશ્યા હતી પણ પાછળથી જૈન ધર્મ પામી હતી. તમે તો જન્મથી જૈન ધર્મ પામેલા છો. તો આટલું ય ન બને? પાપની છુટમાં:
માનવ જીવનની ગુણસુવાસ લઈ જશો ખરા ? કે એકલી દોષ-દુષ્કૃત્યોની બદબો જ આત્મામાં ભરી જશો ? ધ્યાન રાખજો કે જીવન તો, ગમે તેમ ચાલો, વર્તો, તો ય પૂરું જ થઈ જવાનું છે, પરંતુ ભરચક રાગ-દ્વેષ-અભિમાન-ઈર્ષ્યા-લાલસાઓ વગેરે દોષોથી અને સીધી કે આડકતરા હિંસા-જુઠ-ચોરી-દુરાચાર વગેરે દુષ્કૃત્યોથી, તમારો જ પ્રાણપ્યારો આત્મા ભારે થઈ રહ્યો છે. વધુ અફસોસી તો એ છે કે શક્ય પણ દુષ્કૃત્ય ત્યાગની પ્રતિજ્ઞા નહિ કરવામાં એ દુષ્કૃત્યનું સેવન તો ક્યારેક થવાનું, કે કદાચ નહિ ય થવાનું, પણ “મારે એનો ત્યાગ નહિ, છૂટ' એ વૃત્તિમાં મન સદાનું પાપની અપેક્ષાવાળું બન્યું રહેશે. એથી પાપબંધ નિરંતર લાગ્યા કરશે. એથી બચવા અને ત્યાગમાં આવવા આ વેશ્યા એક આદર્શ છે. વેશ્યા રાજાને કહે છે, “હાર મારો છે.' પણ તારી પાસે આવ્યો ક્યાંથી?
જવાબમાં “મારો છે' સિવાય બીજું કાંઈ એ બોલતી નથી. તેથી રાજાએ એને જેલમાં નખાવી, રોજ એની પાસેથી મૂળ વાત કઢાવવા ચાબકા મરાવે છે. વેશ્યા એકમાત્ર પોતાના વતનો આદર્શ પાળવા અને ચોર પરની દયા સુરક્ષિત રાખવા મૃત્યુની તૈયારી સાથે ચાબકા સહી લે છે.
કોઈ એકાદ પણ જીવનમાં આ રીતે વ્રત પાલન અને દયાદિ ગુણ સાચવ્યા હોય તો એ આત્માને ઘણો ઊંચે લઈ જાય છે. ત્યારે વ્રતપાલન અને દયાદિ ગુણ કમાઈને ભવિષ્યના કોઈ માનવ ભવના વાયદે રાખવા કરતાં અહીં જ વ્રત અને ગુણ સાચવવાનું કાં ન કરવું ? ભવિષ્યની કોને ખબર છે કે માનવભવ ક્યારે હાથમાં આવે ? કેમકે અહીં જો જીવન વ્રતમય નથી બનાવ્યું તો પૂર્વે કહ્યું તેમ દિલની અપેક્ષા અને મનની વેશ્યા ખરાબ રહેવાની, તેમજ ગુણકમાઈ ન રાખી તો દોષસેવન જ રહેવાનું. કહો, પછી એના પર ભવ કેવા મળશે ? ત્યાં કેટલાં સીતમ
દુઃખ?
ચંડપિંગલ ચોરને વેશ્યાની આ સ્થિતિની ખબર પડી. એના મનને થયું કે “અરે ! હું કેટલો નીચ કે આને બિચારીને ફસાવી ? એનો વિશ્વાસઘાત કર્યો, ને એનું વ્રત તોડાવ્યું? ત્યારે આ કેટલી ઉત્તમ કે મને બચાવવા રાજા પાસે મારું નામ લેતી નથી ને રોજ જેલમાં ચાબકા ખાય છે? લાવ, મારાં પાપનું પ્રાયશ્ચિત્ત કરું.” એમ વિચારી, એ સીધો રાજા પાસે જઈ સાચી હકીકત કહી દે છે. એટલે રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org