________________
- ને ધ્યાન અને જીવન આ તો તિર્યંચના દાખલા. પણ મનુષ્યના ય દાખલા ઘણા. ભીલ-ભીલડી સિંહના જડબામાં ચવાતા છતાં નમસ્કારમંત્રના પ્રભાવે મરીને રાજા-રાણી થયા.
સ્થૂલભદ્રના ભાઈ શ્રીયકમંત્રીને એક દિવસના ઉપવાસમાં રાતે મૃત્યુ, પણ નમસ્કારમંત્રના ધ્યાનમાં મરીને એ દેવ થયો. માવતને શુળીએ મરતાં નવકારઃ
દેશવટો પામેલ એક રાણી અને એનો યાર માવત એક ગામના નાકે મંદિરમાં સુતા હતા. ત્યાં એક ચોર ચોરી કરીને આવ્યો, પાછળ સિપાઈ આવતા હતા. રાણી જાગી, ચોરની ઉપર મોહી પડી અને એના શિખવ્યા પ્રમાણે સિપાઈઓને સાક્ષી ભરી કે “માવત ચોર છે.” બસ, માવતને સિપાઈ લઈ ગયા તે નગરના રાજા પાસે. રાજાએ એને શૂળીએ ચડાવ્યો. ત્યાં એને ભારે તરસ લાગી. તે ત્યાંથી જતા એક શ્રાવક પાસે પાણી માગ્યું. શ્રાવક કહે, “લે આ નમસ્કાર મંત્ર ગણ, તો હું પાણી લાવી આપું.” માવત એ ગણતાં ગણતાં મરીને દેવ થયો. શ્રાવક પાણી લઈને માવતની પાસે આવતો હતો તેને “કેમ તું ચોરને પાણી પાવા જતો હતો ?' એમ કહીને રાજાએ મારવા લીધો, ત્યાં પેલા દેવે આવી આકાશમાં મોટી શિલા વિકૂર્વી, રાજા ગભરાઈ માફી માગી પૂછે છે, ત્યારે દેવે ખુલાસો કર્યો. રાજાએ શ્રાવકનું મોટું બહુમાન કર્યું અને પોતે નમસ્કારમંત્રનો આરાધક બન્યો. ચંડપિંગલ ચોરને નવકાર :
આવું ચંડપિંગલ ચોરમાં બને છે. એ એક વેશ્યાનો પ્રેમી હતો. એકવાર રાણીનો હાર ચોરી લાવી વેશ્યાને ભેટ આપે છે. પણ વેશ્યા કહે છે, “ક્યાંથી લાવ્યો આ ? જે હું શ્રાવિકા બનેલી છું, એમાં ત્રીજા વ્રતમાં મારે નિયમ છે કે ચોરી તો કરું નહિ, પણ ચોરીનો માલ પણ ન લઉં.” ચંડપિંગલે એને ખોટો વિશ્વાસ આપી હાર આપ્યો, એકવાર ઉત્સવમાં એ બિચારી હાર પહેરીને બહાર નીકળી, ને રાણીની દાસીઓએ એ હારને જોઈ એને પકડાવી.
રાજા પૂછે છે, “બોલ આ હાર ક્યાંથી લાવી?” આદર્શ શ્રાવક વ્રત :
જુઓ આ વેશ્યા છતાં શ્રાવિકા બનેલી હોઈ વિચારે છે કે “જો હું ચોરનું નામ દઉં તો રાજા અને ગરદને મારે, એટલે ચોરની હત્યામાં હું નિમિત્ત થાઉં. તો પછી હિંસામાં નિમિત્ત થવાથી મારા પહેલા અહિંસા વ્રતનો આદર્શ ન જળવાય. માટે એનું નામ તો નહિ જ લઉં, ભલે મારે મરવું પડે, ચિંતા નહિ.
બોલો, (૧) એનું ચોરી-ત્યાગનું વ્રત કેવું ? ને (૨) અહિંસાનું વ્રત કેવું? આદર્શ વ્રત ને ? તમારાથી શું આ બને કે મારે ચોરીની વસ્તુ પણ ન ખપે ? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org