________________
| ધ્યાન અને જીવન ૧૦વિધિપૂર્વક ગણનારો છે. વિધિ આ, કે રાગ-દ્વેષ, ઈષ્ય ખાર, ક્રોધ, લોભ, મદ, માયા વગેરેને દબાવી દયા-સૌમ્યતા-ઉપશમ કેળવતાં કેળવતાં મહામંત્રનું સ્મરણ કરવાનું. દિલ ઉદાર, મોટું દયાભર્યું બનાવવાનું.
મિયો તરત જ કહે છે, “ઐસા હી હૈ ? ચલ મેં આતા હું.” એમ કરી ચાલ્યો. પેલા મિયાના ઘરમાં જઈ જુએ છે તો એનો છોકરો જમીન પર બેહોશ થઈને પડ્યો છે. એણે તરત જ પાણી મંગાવી, હાથમાં પાણી લઈને નમસ્કારમંત્રની રટણા કરી, પછી છોકરાની ઉપર પાણી છાંટ્યું, તરત ઝેર ઉતરી ગયું, છોકરો બેઠો થઈ ગયો. એનો બાપ ચમત્કાર પામ્યો કે “કેવો આનો મંત્ર ? આને પોતાને ય સાપ ન કરડ્યો ! ને મારા છોકરાનું પણ ઝેર ઊતારી નાખ્યું !! વિશેષ તો એ, કે આને જરાય મારા પર ગુસ્સો ય ન ચડ્યો, અંતરમાં વૈર નહિ, બદલો નહિ, ને મારા છોકરાને સાજો કરી દીધો !!”
તરત એ મંત્રવાળા મુસ્લીમના પગમાં પડ્યો ને ખુબ ખુબ આભાર માનવા લાગ્યો.
નમસ્કાર મંત્રના આ જીવનમાં જ બનતા પ્રભાવના તો આવા કેટલાય દૃષ્ટાન્ત મળે. શરત એક કે કોઈ પણ આશંસા-લાલસા વિના આત્મકલ્યાણના હેતુએ શ્રદ્ધાભર્યું મહામંત્રનું સ્મરણ જોઈએ, ને સાથે સાથે પોતાના રાગ-દ્વેષ-ઈષ્ય-અભિમાન વગેરેને દબાવતા ચાલવું જોઈએ. પછી અહીં તો પ્રભાવ પડે, કિન્તુ પરભવે સદ્ગતિ પણ મળે.
નમસ્કારમંત્રનું માત્ર અંતકાળે પણ સચોટ ધ્યાન લાગી જાય તો ય એ પરભવે સદ્ગતિ અને સુખ સમૃદ્ધિ અપાવે છે. આના અનેક દાખલા શાસ્ત્રોમાં આવે છે.
નવકાર-પ્રભાવના અનેક દષ્ટાંત પારધીથી વિંધાયેલી અને મરવા પડેલી સમળી મુનિએ સંભળાવેલ નમસ્કારમંત્ર પરનાં ધ્યાનથી સુદર્શના રાજકુમારી થઈ, જેણે ત્યાં “સમળી વિહાર નામનું ભવ્ય દેરાસર બંધાવ્યું.
રસ્તા પર મરવા પડેલો બળદ શ્રાવકે સુણાવેલ નમસ્કારમંત્ર પરના ધ્યાનથી એજ નગરીમાં રાજકુમાર થયો, જે આગળ જઈને વાલીનો ભાઈ સુગ્રીવ થાય છે.
કમઠ તાપસના બળતા કાન્ટમાંથી બહાર કઢાવેલ અર્ધદગ્ધ સર્પને પાશ્વકુમાર તરફથી નમસ્કારમંત્ર મળ્યો, તો એનાં ધ્યાનથી એ મરીને નાગકુમાર દેવોનો ઈન્દ્ર ધરણેન્દ્ર થયો.
જીવનમાં ધ્યાન કેટલું અદ્ભુત કામ કરે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org