________________
૧૬
ધ્યાન અને જીવન
છે, ‘છોડ દે છોડ દે યહ કારોં કા રટણ. નહિતર સમઝતા હૈ ?...' ધમકી મળી, પણ એણે તો ઝીણું ઝીણું રટવાનું ચાલુ રાખ્યું.
પેલો મિયો પછી તો ચડ્યો ગુસ્સે, ‘બસ યહ સાલે કાફર હુએ કો માર ડાલું'. તે કેટલાક દિવસ બાદ એક કરંડિયામાં સાપ લઈ આવ્યો, ને સંધ્યા પછી આ નમસ્કારમંત્રના રટનારના ઘરમાં છાનોમાનો ઘુસી જઈ એના સુવાના ખાટલા નીચે કરંડિયો ઢીલા ઢાંકણે મૂકીને ચાલ્યો ગયો. થોડીવાર પછી સાપ એમાંથી નીકળીને ખાટલા પર ચડી ગયો.
હવે રાત પડી ને જ્યાં નમસ્કારમંત્ર રટતો મુસ્લીમ સુવા માટે ખાટલા તરફ જાય છે, ત્યાં એણે ખાટલા પર સાપ દેખ્યો. એ જરાય ગભરાયો નહિ. એણે તો મોટેથી ત્રણવાર નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કર્યું, ને સાપ ત્યાંથી બીજી બાજુ ઊતરીને ચાલતો થયો. આને મહામંત્ર પર શ્રધ્ધા એટલી બધી કે પછી એ રટતો ત્યાં જ ખાટલા ઉપર ચડીને નિરાંતે સુઈ ગયો. મનને શ્રદ્ધા છે કે મારી પાસે મહામંત્ર છે, મને શું થવાનું છે ?' એટલે એને જરાય ગભરામણ ન થઈ કે ‘કદાચ સાપ પાછો આવીને કરડી જાય તો ?’
હવે બન્યું એવું કે થોડીવાર પછી પેલો કરંડિયો મૂકનાર મુસલમાન દોડતો આની પાસે આવી રોવા જેવો થઈ આને કહે છે, ‘ઓ ભાઈ ! માફ કરના, વહ સાપ મૈંને રખા થા. મુઝે માફ કીજિયે'
આ કહે, ‘અરે ભાઈ ! યહ કૈસે ? સાપ તો કહીં સે આયા હોગા',
આણે ખાટલા નીચેથી કરંડિયો કાઢી બતાવ્યો ને કહે છે, ‘દેખ ભાઈ ! ઈસમેં મૈંને સાપ રખા થા. અબ મુઝે માફ કીજિયે.’
અચ્છા ભાઈ ! અચ્છા, માફ હી હૈ. મેરે મનમેં કુછ નહિ હૈ. જાઓ રાત પડ ગઈ હૈ, ઘર જા કે સો જાઓ.’
પરંતુ આ હાથ જોડીને વારંવાર કહે, ‘ભાઈ ! હમકો માફ કરના.' એટલે પેલો કહે, ‘બાત ક્યા હૈ ? મેરે મનમેં કુછ નહીં, માફ હી હૈ.'
ત્યારે આ કહે છે, ‘ભાઈ ! દયા કીજિયે, મેરે લડકે કો સાપને કાંટા હૈ, તેરે પાસ કુછ મંત્ર હૈ, ઈસસે તો તું યહાં બચ ગયા. અબ મેરે લડકે કા ઝેર ઉતાર દે. મેં તેરી ગાય હું, દયા કર, ઝટ ચલ, નહિતર લડકા મર જાયગા.'
ખૂબી જોવાની એ છે કે આ નમસ્કારમંત્રના ઉપાસકના મનમાં જરાય વૈરની ગાંઠ નથી. એટલે એ કહેતો નથી કે ‘ઐસા હી હૈ ? તબ તો મુઝે મા૨નેકી કોશિશ કરનેવાલે કા લડકા મરના હી ચાહિયે. જા ઊઠ યહાં સે ચલા જા બદમાશ !' ના, જરાય એવું કાંઈ જ એના મનમાં ઊઠતું જ નથી. નમસ્કારમંત્ર એ આંતરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org