SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ધ્યાન અને જીવન (૧ નહિ. ઘરમાં, દુકાનમાં, ડાયરીમાં, ચાર-પાંચ ઠેકાણે “કલાકે નવકાર લખી રાખવાથી આ નિયમ યાદ આવશે. પછી તો છ થી સાત, સાત થી આઠ... એમ કલાકમાં ગમે ત્યારે એકવાર નવકાર યાદ કરવાનો છે. એમાં તો કલાકમાં બે-ત્રણ વાર પણ યાદ આવશે. પરભવે નવકાર માટે દેવની ચાલાકી: એક દેવતાને જ્ઞાનીએ અમુક જંગલમાં વાનર તરીકે જનમની આગાહી કરી. એણે ત્યાં શિલાએ શિલાએ નવકાર કોતર્યા અને અહીં વિમાનમાં જ્યાં ને ત્યાં નવકાર લખ્યા, ને વારંવાર જીવ્યો ત્યાં સુધી વારંવાર એના પર મન બંધાયું. પછી મરીને વાનર તરીકે જન્મ્યા પછી શિલાએ શિલાએ એ જોતાં એને જાતિસ્મરણ થયું, તરત ધર્મ પામી અનશન કર્યું, ને મરીને સ્વર્ગમાં ગયો. નવકાર ધ્યાનનો પ્રભાવ કેવો ? માટે એનો ખૂબ અભ્યાસ જોઈએ. જો એ અભ્યાસ ન હોય તો તો સંભવ છે કે અકસ્માત વખતે “ઓ બાપ ! ઓ બા !' કે એવું જ કોક યાદ આવવાનું, સહેજ સહેજ આપત્તિમાં ય દુર્બાન થવાનું, ને અંતકાળે ય હાય ને વોય. નમસ્કારમંત્રના શ્રધ્ધાપૂર્વકના સ્મરણનો અજબ પ્રભાવ! એક મુસ્લીમનો પ્રસંગ : કેટલાક વરસ પૂર્વે છાપામાં વાંચેલું, બિહાર પ્રદેશમાં એક મુસલમાનને કોઈ ગુરુયોગે નમસ્કારમંત્ર મળ્યો. ગુરુએ એનો ભાવ પણ સમજાવેલો કે “આમાં રાગદ્વેષ-ક્રોધ, લોભ વગેરે દૂષણોથી તદ્દન રહિત એવા અરિહંત તથા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવામાં આવે છે. તેમજ એવા બનવા માટે મથી રહેલા સંસારત્યાગી આચાર્ય-ઉપાધ્યાય-સાધુને નમસ્કાર કરાય છે. માટે આપણે પણ સ્મરણની સાથે સાથે એ દૂષણોને દબાવતા રહેવાનું. અત્યંત શ્રદ્ધાપૂર્વક આ રીતે નમસ્કારમંત્રનું વારંવાર સ્મરણ કરાય તો એનો અદ્ભુત પ્રભાવ પડે છે. રાગદ્વેષ ઘટી જાય છે, ને પરભવે પણ સદ્ગતિ મળે છે.” મિયાભાઈને આ બરાબર ગળે ઊતરી ગયેલું, તે એ આ મહામંત્રની રટણા કર્યા કરે. સાથે એણે દિલમાંથી એવા ભારે રાગ-દ્વેષ મિજાસીપણું અભિમાન વગેરે પણ દૂર કરી નાખેલા. હવે બન્યું એવું કે બીજા મિયાભાઈ આનો હોઠનો ફફડાટ ચાલુ જોઈ કહે છે, “અરે એ ! કાફર કી તરહ યહ ક્યા બડબડ કરતા હૈ ? ધર્મભ્રષ્ટ હો ગયા ક્યા?' ત્યારે આ ભાઈ કહે કે, મેં ઓર કુછ નહિ કરતા, ખુદા કા નામ રટતા હું.” બીજાઓ તો કાંઈ ન બોલ્યા, પણ એક મુસ્લીમથી આ સહન ન થયું તે કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy