SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ --જન ધ્યાન અને જીવન | મારી અગ્નિમાં ઝીક્યો અને જોગી સુવર્ણપુરુષ બની ગયો ! શિવકુમારને આ જોઈ આશ્ચર્યનો પાર ન રહ્યો. સુવર્ણ પુરુષ એટલે પુરુષ જેવી સોનાની મૂર્તિ. એનું એક અંગ આજે કાપી લો, એટલે બીજે દિવસે પાછું એ જ સોનાનું અંગ મૂર્તિ પર અખંડ તૈયાર. રોજ ને રોજ કાપતા જાઓ ને ? છતાં બીજે દિવસે એ સુવર્ણ મૂર્તિ અખંડ પૂર્ણ હોય. શિવકુમાર મોતમાંથી બચવા ઉપરાંત આ કમાયો, શાના ઉપર ? નમસ્કાર મંત્ર ઉપર, નમસ્કાર મંત્ર જાપના એકાગ્ર ધ્યાન પર. થોડા જ સમયનું આ ધ્યાન ને ? પણ દિલથી, શ્રધ્ધાથી, ગદગદતાથી, એકમાત્ર શરણ માનીને કરેલું અલ્પ સમયનું પણ નમસ્કારમંત્ર-ધ્યાન આ જીવનમાં ય અચિંત્ય સિદ્ધિ કરી આપે છે. શિવકમારને તો એ જોયા પછી આખું જીવન સુધરી ગયું, મહાન શ્રાવક બન્યો. ત્યાં પછી નમસ્કારમંત્રનું રોજ વારંવાર સ્મરણ કેવુંક રાખ્યું હશે ? તો એનાથી પરભવે પણ કેવી સુંદર સદ્ગતિ? નમસ્કારનો વર્તમાનકાળે અહીં પ્રભાવઃ આ તો શાસ્ત્ર કહેલ દાખલો. પણ વર્તમાન કાળે ય નમસ્કારમંત્રના આ જીવનમાં જ અનુભવાતા પ્રભાવના દાખલા ય સાંભળવા મળે છે. વિ.સં. ૨૦૦૭ માં કેટલાક મુનિઓ ખાનદેશમાં વિચરતા હતા. એમને એકવાર ત્યાં નવું બંધાતું મકાન ઉતરવા મળ્યું. ઉપરના માળ પર એક મુનિ પાણી ગાળતા હતા. મકાનમાં ઈલેક્ટ્રિકનું નવું ફિટિંગ થતું હતું, તે ત્યાં એમનો હાથ બાજુમાં લટકતાં એક ઈલેક્ટ્રિક તારને અચાનક અડી ગયો. મુનિ નવકાર મંત્રના અભ્યાસી, તે જ્યાં તાર અડતાં શરીરમાં ઝણઝણાટી-ખેંચાણનો અનુભવ થયો કે તરત જ સહજ ભાવે હૃદયમાં સ્મરણ થઈ મુખમાંથી “નમો અરિહંતાણં' શબ્દ નીકળ્યા. એનો કેવોક અભુત પ્રભાવ કે તાર રહ્યો એક બાજુ, ને મુનિ તરત બીજી બાજુ ઢળી પડ્યા. પછી સ્વસ્થ થઈ જુએ છે તો ગેબી ચમત્કાર લાગ્યો કે “મારા આખા શરીરે ઝણઝણાટી થઈને એ ખેંચાવા તો માંડ્યું હતું, જાણે હમણાં મર્યો, ત્યાં આ શું થયું? બસ, નવકાર મંત્રે મને બચાવ્યો.” કલાકે નવકારનો નિયમ : આ પરથી ખાસ ખ્યાલમાં રાખજો કે જીવનમાં નમસ્કારમંત્રનો સારો અભ્યાસ હશે તો આવા કોક અકસ્માતના સમયે એકાએક એનું સ્મરણ થાય. એ અભ્યાસ માટે સૂતાં, જાગતાં, ઊઠતા, ખાતાં કે પીતાં, બહાર જતાં કે ઘરમાં પેસતાં, દરેક કામના પ્રારંભે “નવકારમંત્ર કે અરિહંત નમસ્કાર” ઝટ યાદ આવવો જોઈએ. વિશેષ અભ્યાસ માટે સવારે જાગ્યા ત્યારથી “દર કલાકે એક નવકારનો નિયમ કરી કલાકે કલાકે એનું સ્મરણ કરાય. જાગતાનો આ નિયમ, ઊંઘતી વખતનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy