________________
ન ધ્યાન અને જીવન - સચોટ ધ્યાન કરતાં કરતાં પાપી મનુષ્ય તો શું પણ પશુ જેવા ય મરીને પરભવે સુંદર સદ્ગતિ પામ્યા છે.
નમસ્કારમંત્રના પ્રભાવના દાખલા : શિવકુમારને અહીં સિધ્ધિઃ
શાસ્ત્રમાં શિવકુમારનો દાખલો આવે છે. શ્રાવકનો એ જુગારી-વ્યસની બની ગયેલો છોકરો. બાપે ઘણું કહ્યું તો ય ન સુધર્યો, ત્યારે મરતી વખતે બાપ કહે છે,
જો ભાઈ ! છેવટે ક્યારે પણ આપત્તિમાં બહુ મુંઝાય ત્યારે નમસ્કાર મંત્ર (નવકારમંત્ર) યાદ કરજે.”
બાપ મરી ગયો. પેલો વ્યસનોમાં નિધન થઈ ગયો, હવે આજીવિકા માટે ફાંફા મારે છે. એમાં એક દંભી જોગીએ એને ભોળવ્યો કે “ચાલ તું મારો ઉત્તર સાધક થા, હું મંત્રસાધના કરી તેને સુવર્ણ અપાવીશ.”
જંગલમાં અગ્નિનો કુંડ કરી એક મડદું રાખી એની સામે શિવકુમારને બેસાડીને યોગી પોતાનો મંત્રજાપ કરે છે. મડદાના હાથમાં તલવાર મૂકી છે, મંત્રથી મદ્ ઊઠું-ઊઠું થાય છે.
ત્યાં શિવકુમાર ગભરાયો, કે “હાય આ ઊઠીને મારા પર તલવાર તો નહિ ઝીકી દે? હાય હું ક્યાં સોનાના લોભમાં પડ્યો ? હવે શું કરવું? ઊઠીને ભાગતાં કદાચ જોગી ગુસ્સે થાય તો ? મડદું પૂંઠે પડે તો ? આ તો મંત્રનું કામ છે. મંત્રથી મડદું ઊઠે, તો દોડે કેમ નહિ ? કોને ખબર ?” ગભરાયેલા શિવકુમારને ત્યાં એકાએક બાપનો છેલ્લો બોલ યાદ આવ્યો કે “આપત્તિમાં બહુ મુંઝાય ત્યારે નમસ્કારમંત્ર યાદ કરજે.”
બસ, શિવકુમારે નમસ્કારમંત્રને જ ખરું શરણ માની ગદ્ગદ હૃદયે એનું સ્મરણ કરવા માંડ્યું. એનો એવો પ્રભાવ પડ્યો કે મડદું ઊઠી ઊઠીને પાછું પડ્યું નીચે.
યોગી વહેમાયો, પૂછે છે, “અલ્યા ! તું કોઈ મંત્ર ભણે છે?' આ કહે, “મને અભણને ભાઈસાબ ! ક્યાંથી મંત્ર આવડે ?”
જોગી સમજ્યો ત્યારે તો મારા જપવામાં ખામી રહી, લાવ ફરી જપું.” એણે ફરીથી મંત્રજાપ કરવા માંડ્યો અને પાછું મડદું ઊઠવા માંડ્યું. શિવકુમારે તો હવે પ્રભાવ દેખ્યો છે, એટલે અધિક શ્રદ્ધાથી શરણભાવથી નમસ્કારમંત્ર મનમાં રટવા માંડ્યો, એટલે મડદું પાછું પડ્યું. વળી જોગી પૂછે છે, તો કુમારનો એ જ જવાબ, જોગીએ હઠ કરી ત્રીજી વાર જાપ શરુ કર્યો, આ નમસ્કાર રટે છે. ત્યારે મંત્રનો અધિષ્ઠાયક દેવ જોગી પર કોપ્યો, મડદાને ઊઠાડીને એ જ તલવારથી જેગીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org