________________
ન ધ્યાન અને જીવન શરણભૂત નથી' એમ અશરણતાનું ચિંતન, એ શુભ ભાવના છે. એ જેમ અનુપ્રેક્ષા છે, એમ ભણેલા-સમજેલા શાસ્ત્રસૂત્રનું સૂત્રથી કે અર્થથી પુનરાવર્તન-પુનઃસ્મરણ એ પણ અનુપ્રેક્ષા છે. એ શુભ ભાવના છે.
(૩) ધ્યાનમાં કોઈ ગમા-અણગમતા કાયા, ધન, માલ, કુટુંબી વગેરે દુન્યવી વિષય પર એકાગ્ર ચિંતન એ અશુભ ધ્યાન છે. ત્યારે, જિનાજ્ઞા, જિનવચન, કર્મના વિપાક, રાગાદિના અનર્થ, લોકસ્થિતિ વગેરે કોઈ વિષય પર એકાગ્ર ચિંતન એ શુભ ધ્યાન છે.
આપણે મુખ્ય તો આ શુભ-અશુભ ધ્યાનને સમજવાનું છે, જેથી અશુભથી બચીને શુભનો વારંવાર ખપ કરીએ. પરંતુ પહેલાં જે અલ્પ સમય પણ પરમેષ્ઠીનું ધ્યાન લાભદાયી કહ્યું, એનો સહેજ વિચાર કરી લઈએ, જેથી એનો આજથી જ પ્રયોગ અભ્યાસ શરૂ થાય.
પરમેષ્ઠી એટલે પરમ પદે રહેલા અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય મહારાજ, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચ પરમેષ્ઠી છે. નમસ્કાર મંત્રમાં એ પાંચને નમસ્કાર કરવામાં આવે છે. એકેક નમસ્કારનું એકેક પદ , જેમકે નમો અરિહંતાણં”, “નમો સિદ્ધાણં” વગેરે. એ રીતે પાંચ પદની ઉપરાંત એ નમસ્કારની અનુમોદનાર્થે નમસ્કારનાં સર્વોત્તમ ફળ અને પ્રભાવને દર્શાવનારા ચાર પદની ચૂલિકા છે. એમ કુલ મળીને નવ પદનો નમસ્કાર-મહામંત્ર છે. પરમેષ્ઠી-નમસ્કાર એ મહામંત્ર શાથી?
(૧) આ જીવનમાં દુન્યવી સિદ્ધિઓ કરી આપનાર મંત્ર ઘણા, પરંતુ એ કોઈ પરલોકની સદ્ગતિ અને સુખ સમૃદ્ધિ ન અપાવી શકે. ત્યારે નમસ્કાર મંત્રમાં આ લોક પરલોક ઉભયમાં સુખ સિદ્ધિઓ અપાવવાની પાવતુ મોક્ષ અપાવવાની તાકાત છે. માટે એ મહામંત્ર છે.
(૨) વળી સર્વ શાસ્ત્ર ભણવાના પ્રારંભે નમસ્કાર મંત્રનું સ્મરણ કરવામાં આવે છે, માટે પણ એ મહામંત્ર છે.
(૩) સમસ્ત શાસ્ત્રોના પારગામીને પણ અંતકાળે યાદ કરવા યોગ્ય નમસ્કાર મંત્ર છે, તેથી ય એ મહામંત્ર છે.
(૪) જગતમાં અનંતા કાળમાં ઘણા-બધા ફેરફાર થાય છે, પરંતુ આ નમસ્કાર મંત્ર અફર રહે છે, એ શાશ્વત છે, તેથી એ મહામંત્ર છે.
નમસ્કાર મહામંત્ર પર ક્ષણવાર પણ મન ચોંટી જાય, ક્ષણ પણ એનું ધ્યાન થાય, તો એ આ જીવનમાં અચિંત્ય સિદ્ધિ કરી આપે છે, ત્યારે અંતકાળે એનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org