________________
* ધ્યાન અને જીવન અભ્યાસથી મન કેળવાયેલું હતું, આત્મા ઘડાયેલો હતો. તેથી અવસર આવી લાગતાં અલ્પ સમયના નિરાસંગ-અનાસંગ ધ્યાને કેવળજ્ઞાન અપાવ્યું. એટલી બધી તાકાતવાળું એ ધ્યાન બની ગયું ! એમ, પંચપરમેષ્ઠિનું અલ્પ સમયનું પણ ધ્યાન સામર્થ્યવાળું બની શકે છે. માત્ર,
(૧) એની પાછળ શ્રાવકપણાના બીજા જે દેવ-દર્શનાદિ આચાર-અનુષ્ઠાન સધાય એ સચોટ શુભ ધ્યાનવાળા સાધવામાં આવે, એ જરૂરી છે. તેમજ
(૨) પરમેષ્ઠિ ધ્યાન કેવી રીતે કરવું એની પદ્ધતિ જાણીને પછી એ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. મનની ત્રણ અવસ્થાઓઃ ચિત્ત-ભાવના-ધ્યાન.
અહીં એટલું સમજવાનું છે કે ધ્યાન એ મનની એક અવસ્થા છે, મનની એક ક્રિયા છે.
(૧) મન ગમે તે ગમે તે આડાઅવળા અસંબદ્ધ વિચારો કરતું હોય તો એને “ચિત્ત' કહેવામાં આવે છે.
(૨) મન એવા એક જાતનાં વ્યવસ્થિત વિચારો કરે ચિંતન કરે કે જેનાથી આત્મા ભાવિત થાય એ મનની “ભાવના” અવસ્થા છે. દા.ત. મૈત્રી આદિ ભાવના અથવા અનિત્ય ભાવના, અશરણ ભાવના વગેરે. તત્ત્વાર્થ સૂત્રકાર આને “અનુપ્રેક્ષા” કહે છે. અનુપ્રેક્ષા એટલે જાણેલા, ભણેલા, અનુભવેલાનું સ્મરણ ચિંતન.
(૩) મન કોઈ વિષય પર એકાગ્ર થઈ જાય, એ “ધ્યાન અવસ્થા છે. કોઈ એક વિષય પર મનની ચોટ, કેન્દ્રિત મન, મનનું સમર્પણ, મનની તન્મયતા, એ “ધ્યાન.”
ચિત્ત, ભાવના, ધ્યાન, એ શુભ વિષયના ય હોય અને અશુભ વિષયના ય હોય. દા.ત. શુભાશુભ ચિત્ત-ભાવના-ધ્યાન
(૧) દુન્યવી વસ્તુઓ સાંસારિક કાર્યો કે વ્યક્તિઓ અંગે આડાઅવળા, સંબંધ વિનાના વિચારો એ અશુભ ચિત્ત છે, ત્યારે આત્મહિતકર વસ્તુઓ, જેમકે ભગવાનની પ્રતિમા, મંદિર, ધર્મક્ષેત્ર, સંઘ, ધર્મોપકરણ વગેરેના વિચાર, પણ સંબંધ વિનાના વિચાર, ક્ષણમાં આનો, ને ક્ષણમાં બીજાનો વિચાર, એ શુભ ચિત્ત છે.
(૨) વૈર-વિરોધ, કઠોરતા, ઈર્ષ્યા વગેરેનું ચિંતન એ અશુભ ભાવના છે. એમ અનિત્ય પદાર્થોમાં નિત્યત્વનું ચિંતન, અશરણભૂતમાં શરણદાતા તરીકેનું ચિંતન એ પણ અશુભ ભાવના ત્યારે મૈત્રી-કરુણા-પ્રમોદ વગેરેનું ચિંતન યા જગતના સંયોગોની અનિત્યતાનું ચિંતન, “ઘર પૈસા કુટુંબ વગેરે એ જીવને અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org