SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIM ૩. નમસ્કાર મંત્રના ધ્યાનનાં દ્રષ્ટાંત મગજને માત્ર ૐ વગેરેમાં કેન્દ્રિત લીન કરી દેવાથી કાર્ય સીઝતું નથી, કેમકે આત્મામાં જુના જુના કેઈ કુસંસ્કારો વાસનાઓ ભરી પડી છે, એનો નિકાલ કેવી રીતે થાય ? એ નિર્મૂળ કેમ થાય ? એને નિર્મૂળ કરવા માટે તો એનાથી વિરુદ્ધ સુસંસ્કારો પોષાય એવી ભરચક ધર્મપ્રવૃત્તિ જોઈએ, મનની ચોંટવાળી પ્રવૃત્તિ જોઈએ અને આ મનની ચોંટ એ જ ખરેખર સતત ધ્યાનરૂપે આદરણીય છે. “જ્ઞાન-ધ્યાન” એમાં ધ્યાન એટલે? : એટલે જ શાસ્ત્ર “જ્ઞાન-ધ્યાનમાં રક્ત મુનિ', એમાં “જ્ઞાન' એટલે પંચવિધ શાસ્ત્ર સ્વાધ્યાય અને “ધ્યાન” એટલે ક્રિયામાં મનની એકાગ્રતા. આ બતાવે છે કે દરેકે દરેક ધાર્મિકઆચાર-અનુષ્ઠાન એ એકાગ્ર મનથી થાય, મનની ચોંટથી થાય, એ ધ્યાનરૂપ છે. યાવત્ એમ પણ કહ્યું છે કે ધ્યાન એ માત્ર માનસિક નહિ પણ કાયિક ગુપ્તિ અને વાચિક ગુપ્તિરૂપ પણ છે. માટે તો મોક્ષે જવા પૂર્વે યોગનિરોધ જે શુક્લધ્યાનથી કરે છે, તે કાંઈ માનસિક એકાગ્ર ચિંતન રૂપ હોતું નથી, કિન્તુ કાયયોગની મહાગુપ્તિ રૂપ હોય છે, કેમકે એવા અસાધારણ કાયયોગના યોગોને રૂંધવાનું કરે છે. માટે એ ઉત્કૃષ્ટ ધ્યાન. માટે જૈન શાસનની શૈલીથી, શું સાધુ કે શું શ્રાવક, એ પોતાના આચાર-અનુષ્ઠાનના કર્તવ્યો એકાગ્ર મનથી આદરે એ મુખ્યપણે ધ્યાન છે. એ જ અનાદિની કુવાસનાઓને તોડવા માટે સમર્થ છે. અલબત્ એ કર્તવ્યો બનાવીને બચેલા સમયમાં પંચપરમેષ્ઠીનું યા અરિહંતનું એકાંતમાં ધ્યાન કરે, એવું “ઉપદેશ પદ' “અષ્ટકજી' તથા ઉપમિતિ' શાસ્ત્રમાં વિધાન છે. - ત્યારે હવે આપણે એ જોઈએ કે આ પરમેષ્ઠિ ધ્યાન શી રીતે થાય ? ટુંકા ધ્યાનથી શો લાભ?: પ્ર. - ઉપર કહ્યું તેમ આવશ્યક કર્તવ્યો બજાવ્યા બાદ તો માત્ર -ના કલાક જેવો સમય રહે, એવો ટુંકો સમય કરેલું પરમેષ્ઠિ ધ્યાન શો લાભ કરે? ઉ. - આમાં સમયનો સવાલ નથી, મહત્ત્વ ધ્યાનનું છે. નાગકેતુને ધ્યાન ક્યાં લાંબો કાળ ચાલ્યું હતું? છતાં એ બાને એમને કેવળજ્ઞાન અપાવ્યું. અલબત્ એની પૂંઠે ચાલુ શ્રાવકપણાની ધાર્મિક ક્રિયાઓ - આચારોમાં રખાતું સચોટ પ્રણિધાન, મનની તન્મયતા યાને શુભ ધ્યાન કારણભૂત હતું. એવા ધ્યાનના બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy