________________
ધ્યાન અને જીવન * બાવો કહે “ઘોડા ચાહિયે.”
રાજા એ સાંભળી નવાઈ પામ્યો, પૂછે છે, “આપ તો સંસાર ત્યાગી હૈ, ઘોડે સે ક્યા કરેંગે?'
“ક્યા કરેંગે? કાશ્મીર સે કન્યાકુમારી તક કે તીર્થસ્થાનોં કી યાત્રા કરેંગે'
રાજા કહે “અચ્છા, અચ્છા' એમ કહી પોતાના માણસ પાસે એક સારો ઘોડો મંગાવીને આપે છે. “લીજીએ સાબ ! યહ ઘોડા.”
બાવો કહે “યહ નહીં, તેરી સવારી કા ખાસ ઘોડા ચાહિયે.”
રાજા જુએ છે કે “આ બાવાજી કોઈ માત્ર યાત્રાના અર્થી નથી લાગતા. નહિતર એમને લડાઈમાં સામે ઉછળતા ભાલા દેખીને પણ ન ડગનારા ખાસ જાતિમાન કિંમતી ઘોડાનું શું કામ?'
“એટલે રાજ કહે છે, “વહ તો, સાબ !” માફ કીજિયે, હમ નહીં દે સકતે હૈ.'
“નહીં દેગા ? દેખ લેના.” બસ, એટલું કહી બાવો ત્યાંથી ચાલતો થયો. શું સમજીને ? એ જ કે “જાઉં ગામ બહાર, ધ્યાન લગાઉં, ઈસ કા બડા પ્રભાવ હોગા.”
ગયો ગામ બહાર, લગાવ્યું ધ્યાન, ધ્યાનમાંથી લય, લયમાંથી સમાધિ. એવો શરીરનો જડ જેવો થઈ ગયો કે મારવાડ જેવો એ દેશ, તે પવનની ઝપાટે શરીર પર ધૂળના ધફ ચડી ગયા, પણ એને કશી ખબર નહિ. ૫-૧૦ દિવસો થયા. એમ જ દટાયો રહ્યો. એકવાર વળી વંટોળથી ધૂળ ખસી તે માથાની માત્ર તાલકી દેખાતી થઈ. ત્યાંથી જતા એક માણસે જોઈ, ધૂળ આધી કરતાં બાવાને સમાધિમાં જોઈ ઢંઢોળે છે, પણ આને કાંઈ જ ભાન નથી. વિચારે છે, “આ સમાધિ ઉતરે તો બાવો બહારના ભાનમાં આવે.' ગામમાં જઈ એના જાણકારને બોલાવી લાવ્યો. જાણકારે સોયની અણી એના એકેક અંગ પર દબાવી દબાવી તપાસતાં જે અંગ પર બાવાએ મન કેન્દ્રિત કર્યું હશે એના પર સોયની અણી જોરથી દબાતાં એણે આંખ ખોલી, ને ખોલતાં વેત બોલે છે, “ઘોડા દેતા હૈ કે નહીં ?'
જાણકાર માણસ સમજી ગયો કે “આ કોક પાસેથી ઘોડો લેવાની ઈચ્છામાં ધ્યાન-સમાધિ ચડ્યો લાગે છે.”
બોલો આવું ધ્યાન આત્માનું શું કલ્યાણ કરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org