SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ધ્યાનનાં બળ ઉપર એવા આગળ વધ્યા કે પોતાના થૂંકના કણિયામાં પણ અપૂર્વ ઔષધ-શક્તિ પ્રાપ્ત કરી ! છતાં નિઃસંગતાનું શુભ ધ્યાન એટલું જ્વલંત કે એનો ઉપયોગ પોતાના રોગના નિવારણ અર્થે નથી કરતા, માત્ર સ્વર્ગના દેવ રોગ કાઢના૨ ધન્વન્તરી વૈદ તરીકે પારખું કરવા આવ્યા ત્યારે પોતાની લબ્ધિ-શક્તિનો યત્કિંચિત્ ચમત્કાર બતાવ્યો, થૂંકનો કણ કોઢરોગવાળી આંગળી પર લગાડતાં આંગળી કંચનવર્ણી થઈ ગઈ બતાવી. એથી સૂચવ્યું કે, ‘ઔષધિઓથી રોગને તમે શું કાઢો ? રોગને તો હું જ મારા શરીરમળથી કાઢી શકું છું. પરંતુ મારે રોગ એમ કાઢવા નથી, કેમકે રોગ એ તો મારા મિત્ર છે. એના સહારે એટલે કે એ સહન કરતાં કરતાં પૂર્વનાં મારાં અશુભ કર્મ ખપી રહ્યા છે. અશુભ કર્મનો ઉદય થાય તેમ તેમ આવા રોગ વગેરે પીડા આવે, ને એ રોગાદિ ભોગવીએ તેમ તેમ પેલા ઉદય પામેલાં કર્મ ખત્મ થતા જાય. એ કર્મ જ એવા ખંધા કે આવા રોગ આપ્યા વિના ખસે નહિ, આત્મઘર છોડે નહિ. માટે રોગ તો કર્મના નિકાલમાં સહાયક હોઈ મારા મિત્ર છે, તો પછી કર્મદુશ્મનને કાઢવામાં સહાયક મિત્ર જેવા રોગને કેમ કાઢી મૂકાય ?’’ મહામુનિના મનની ચોંટ આ વસ્તુ પર હતી, ધ્યાન રોગમિત્ર દ્વારા કર્મના નિકાલ પર લાગેલું હતું. તો એનાથી અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ, તેમ રોગોની શી મજાલ કે એ વધુ ટકી શકે ? એક લાખ વરસના ચારિત્ર-પર્યાયમાં માત્ર પહેલા ૭૦૦ વર્ષ રોગ રહ્યા. પછી એ મહાત્મા નીરોગી કંચનવર્ણી કાયાના થઈ ગયા. સાથે અદ્ભુત કમાયેલી લબ્ધિઓ ઊભી રહી. દવા-ડોક્ટરની પૂંઠે પડેલાને આમાનું કશું દેખવા મળે ? મળે એને ભારે શરીર-રાગના કુસંસ્કારો તથા અશુભ કર્મોનાં પોટલાં. માટે શુભ ધ્યાન એ તો મોટામાં મોટી સાધના છે. એ વધારવામાં આવે તો ઠેઠ કેવળજ્ઞાન-સર્વજ્ઞતા સુધી પહોંચાડે એટલી તાકાત એ ધરાવે છે. પરંતુ એટલું ધ્યાનમાં રહે કે આ ધ્યાન એટલે કાંઈ ચોવીસ કલાક કે દિવસ-રાતનો મોટો ભાગ પદ્માસન લગાવી ‘ૐ' કરતા બેસવાની ચીજ નથી. એકલા એથી ઉદ્ધાર ન થાય, અશુભ ધ્યાન ટાળવાનો જબરદસ્ત પ્રયત્ન જોઈએ. એક બાવો હતો. એને ઘોડો રાખવાની ઈચ્છા થઈ. ગયો એક રાજા પાસે. રાજા એને પ્રણામ કરી પૂછે છે, કહિયે બાવાજી ! ક્યા આશા હૈ ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy