________________
તે ધ્યાન અને જીવન - મમ્મણ શેઠને બિચારાને એવું ઉત્કૃષ્ટ લોભનું ધ્યાન રહ્યું, તેથી એ સાતમી નરકે ગયો. બાકી એણે ક્યાં એવાં ખૂનરેજી-દુરાચાર રાજ્ય કારભારના મહા આરંભ-સમારંભ કર્યા હતા? કશું જ નહિ, છતાં સાતમીના ભાતાં શાના પર ? ધન સંગ્રહની પ્રવૃત્તિના આંતરિક બળ ઉપર, એ બળ અશુભ લોભના ધ્યાન પર જામ્યું, તેથી સાતમી નરકનાં કર્મ ભેગાં કર્યાં !
એમ, ચક્રવર્તીનું સ્ત્રીરત્ન કયાં મોટા પાપ કરે છે? ખૂનખાર લડાઈઓ એ ન લડે. પુણ્ય એટલું બધું જોરદાર કે બીજી શોક્યરાણીઓ એટલી બધી આદર સદ્ભાવવાળી હોય કે એમની સાથે પણ અંટસ-ઝગડા વગેરેની વાત નહિ. તો શું એનામાં એવા પરિગ્રહના લોભ છે ? કે જુઠડફાણ ચોરીઓ દુરાચાર વગેરે પાપાચરણ છે ? ના. છતાં કેમ એ છઠ્ઠી નરકે ય જાય ? કહો, સંસાર-સુખની સાધનાના ભાવી બળ ઉપર, એ બળ એના વિષય-રંગના ઉત્કૃષ્ટ અશુભ ધ્યાનના બળ ઉપર જામે છે. એ ધ્યાનમાં એનો આત્મા એટલો બધો વિષયરાગમાં ચકચૂર રહે તો એમાં છઠ્ઠી નારકીનાં ય ઘોર પાપ ઉપાર્જ છે ! સામાન્ય પ્રવૃત્તિથી કેમ ઘોર પાપ?:
વાત આ છે કે ધ્યાનના બળ ઉપર સાધનાનું બળ વધી જાય છે. એટલે જ સાંસારિક પ્રવૃત્તિ આમ ભલે સામાન્ય રૂપની હોય, પરંતુ ધ્યાન યાને મનની ચોંટ જો અશુભ રાગાદિના જોરવાળી બની તો એ મનની પ્રવૃત્તિ આંતરિક રૂપે પ્રબળ પાપરૂપ થઈને ઘોર કર્મનો બંધ કરાવશે.
એવું જ સારી ધાર્મિક સામાન્ય પણ પ્રવૃત્તિ, દા.ત. દેવદર્શન કે નવકારજાપની પ્રવૃત્તિ, જો સાથે શુભ ધ્યાનના બળવાળી હોય, વીતરાગના ગુણસ્મરણાદિ પરના તીવ્ર રાગના ધ્યાનવાળી મનની ચોંટ. એ ગુણો પર અને પોતાની અતિલઘુતા-અધમતા ઉપર હોય, તો એ દેવદર્શન-જાપની પ્રવૃત્તિ પણ બળવતી બને છે.
સામાન્ય ધર્મપ્રવૃત્તિથી ય ધ્યાનબળે ઊંચા પુણ્ય મળે.
સારાંશ, ધ્યાનનું આટલું બધું ઊચું મહત્ત્વ છે, માટે શુભ-અશુભ ધ્યાનનું સ્વરૂપ જાણવાની જરૂર છે, જેથી અશુભ ધ્યાનને ઓળખી એના ટકા કાપતા રહીએ અને શુભ ધ્યાનને સમજી એના ટકા જોરદાર વધારતા રહીએ.
ભૂલતા નહિ, આ શુભ ધ્યાનનો અદ્ભુત પ્રભાવ છે. એનાથી અચિંત્ય સિદ્ધિઓ થાય છે. તપમાં લાગી ગયેલા મહાત્માઓને, સાથે વધારેલા શુભ ધ્યાનના બળ પર મહાન લબ્ધિઓ ઊભી થાય છે.
સનતકુમાર મહામુનિ ચક્રવર્તિપણું છોડી રોગિષ્ઠ દેહે પણ સંયમ-તપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org