________________
- મ ધ્યાન અને જીવન | આમ જ આહારસંશાને રોકતાં રોકતાં સહેલાઈથી તપમાં આગળ વધાશે.” વળી,
ભૂખ તરસ ! લાગ લાગ, તું લાગે તેમ મારાં કરમ ભાગે,
આ મંતર જપ્યા કરાય, મન કર્મક્ષય પર જાય, તો એ શુભ ધ્યાનરૂપ થઈ જાય. ભૂખ લાગી એટલે પીડા તો ખરી, છતાં ધ્યાન પીડાથી થતા કર્મક્ષયના લાભ ઉપર ગયું, એટલે એ શુભ ધ્યાન થયું. કર્મક્ષય એ કોઈ પૌગલિક વસ્તુ નથી. ઈદ્રિયનો મનગમતો વિષય નથી, કે એનું ધ્યાન બગડેલું કહેવાય. પૌગલિક વસ્તુ સત્કાર સન્માન કીર્તિ વગેરે, કે ઈન્દ્રિયવિષય, એ ગમતો અણગમતો મળવા કે જવા પર ધ્યાન જાય તો એ અશુભ ધ્યાન થયું, પણ કર્મ કોઈ એવી દેશ્ય અનિષ્ટ ચીજ નથી એટલે એના ક્ષય પર ધ્યાન એ શુભ ધ્યાન છે. તો ભૂખ-તરસની પીડા વખતે પણ આ કમાઈ શકાય છે. આ પ્લાન જેટલું જળવાય તેટલો એ કર્મનો નાશ કરે છે. એટલે તપ વખતે જો આ ચોંટ હોય કે “ભૂખ વધુ લાગી તો કર્મ વધુ તુટ્યા', તો ત્યાં એ શુભ ચોંટ યાને શુભ ધ્યાનના બળ પર તપની સાધના જોરદાર બનવાની. માટે કહો,
કોઈ પણ સાધનાના ટકા ધ્યાનના બળ પર મપાય છે.
નાગકેતુ મહાશ્રાવક ભગવાનની પુષ્પપૂજા કરતા હતા. એ વખતે ધ્યાન તો શુભ જ હતું કે “અહો ! કેવો સુંદર જિનભક્તિનો લાભ ! કેવા સરસ જિનેન્દ્ર પ્રભુ !” પરંતુ આ પણ એટલું જોરદાર ધ્યાન નહિ, તેથી સાધના એવી જોરદાર નહિ. કિન્તુ જ્યાં પુષ્પના કરંડિયામાંનો નાનો સર્પ આંગળિએ ડસ્યો, ને ઝણઝણાટી ઊઠી, ત્યાં ધ્યાનનું બળ વધ્યું, ને ત્યાં એ જ સાધના એવી જોરદાર જામી - વીતરાગની ભક્તિની સાધના હતી અને ભક્તિ એટલે ભજવું, આશ્રય કરવો, ચરણલીન બનવું, એકાકાર થવું - કે એ સાધના, બીજું બધું ભૂલાઈ, યાવત પોતાની કાયા પ્રત્યે પણ તદ્દન નિરાળા જેવી સ્થિતિ બની, અનાસક્તયોગિપણાની સાધના થઈ. એથી વીતરાગ સર્વજ્ઞ થયા ! કેવળજ્ઞાની બન્યા ! ધ્યાનના વધતા બળ પર સાધના બળના ટકા વધ્યા, સામાન્ય ભક્તિમાંથી અભેદ ભક્તિ થઈ અને વીતરાગને ભજતાં પોતે વીતરાગ બન્યા. અશુભ ધ્યાન-બળથી અશુભ પ્રવૃત્તિ બળવાન
જેવું આ શુભમાં, તેવું જ અશુભમાં પણ છે. વિષયોની અને કષાયોની દુન્યવી પ્રવૃત્તિમાં પણ અશુભ ધ્યાનના બળ પર ટકા વધી જાય છે. દા.ત. પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ સામાન્ય લોભના ધ્યાનની ય હોય અને ઉત્કૃષ્ટ લોભ-ધ્યાનની પણ હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org