SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન પુણ્યોદય પતી ગયે એ જવાના, તો પૈસા મળ્યા પર મારે કશો હરખ નહિ માનવાનો' આ લક્ષ જામે, તો એ પૈસાના આંતરીક સાચા મુદ્દા પર ધ્યાન ગયું. એમાં પછી શાંતિ રહેશે, અભિમાન-ઉન્માદ-અતિહર્ષ વગેરે નહિ થાય. ધ્યાન કયા મુદ્દા પર રહે છે, કેવી રીતનું રહે છે, એ પરથી જીવનમાં સુખ-દુઃખ હરખ-શોક વગેરેના અનુભવ થાય છે અને જીવનમાં હાલતાં ને ચાલતાં કંઈ પણ જોવા-સાંભળવા વગેરે પર, કે યાદ આવવા પર, મન કેટલીય વાર કોઈ ને કોઈ મુદ્દા પર ચોંટે તો છે જ. એટલે કહેવાય કે ધ્યાનને જીવન સાથે સંબંધ છે. જીવનના સુખ-દુઃખાદિ સાથે મોટો સંબંધ છે. ધર્મ સાધનામાં ધ્યાનનું સ્થાન ઃ આ તો શુભ અશુભ બંને પ્રકારના ધ્યાનની વાત થઈ. પરંતુ ધર્મસાધનામાં ય શુભ ધ્યાનની ભારે અગત્યતા છે. માટે તો તીર્થંકર દેવ જેવા પણ વીતરાગ બનવા સંયમ-તપ વગેરે ધર્મસાધના કરે છે એમાં એમને રોજના ચોવીસ કલાકનો મોટો ભાગ કાયોત્સર્ગ-ધ્યાનમાં જાય છે. એમની તપસ્યા જોરદાર, એમાં પાછા દેવતાઈ ઉપસર્ગ-ઉપદ્રવો ય વરસતા હોય, છતાં એ શુભ ધ્યાન ગુમાવતા નથી. કેમ નહિ ? સમજે છે કે - જો ધ્યાન ગુમાવ્યું તો સાધના લુલી પડી જાય. સાધનામાં બળ ધ્યાનના પરિબળે રહે છે. પ તપસ્યા કરી એમાં ભૂખ-તરસ લાગી, પરંતુ શુભ ધ્યાન જાગતું રહે તો એ તપને દૃઢ કરે છે, ને જો એ ગુમાવ્યું તો તપ મુડદાલ બની જાય. ભૂખમાં દહાડો તો પસાર કરે પણ રોતડ બનીને, કેમકે ધ્યાન ગયું ખાવા પર, ખાવાની સુખશાંતિ પર, પછી મોં લીલું નહિ પણ વીલું, શબ્દો ઉલ્લાસના નહિ પણ ઉદાસીતાના, કોઈ પૂછે, ‘કેમ છો ?’ તો કહેશે, ‘કેમ શું છે ? ઢીલા, આજ ઉપવાસ કર્યો, પણ આપણું કામ નહિ.' શું છે આમાં ? ધ્યાન રુડા ખાનપાનની સુખ-શાંતિ પર છે. આ અશુભ ધ્યાન છે. પરંતુ જો ધ્યાન શુભ હોય, ‘ચાલો, આજે મન મારીને પણ અનાદિની વળગેલી દુષ્ટ આહાર સંજ્ઞાને કચરી છે, એ દુષ્ટાને આજે પોષવાનું બંધ રાખ્યું છે, એ સુંદર થયું', આવું ધ્યાન હોય તો તપમાં ઉલ્લાસ રહેવાનો, તપ જોરદાર થવાનો. ત્યારે પૂછો, પ્ર. પણ ભૂખ પીડતી હોય ત્યાં મન તો જાય ને ? એથી ધ્યાન ન બગડે ? ઉ. તો એનો અર્થ તો એ, કે ભૂખ લગાડ્યા કરવાની અને મન બગાડ્યા કરવાનું ! વાત એ છે, કે મન જાય તેથી શું ? એને ‘હાયવોય'માં ન લઈ જતાં એમ વિચારવાનું કે, - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy