________________
ધ્યાન અને જીવન એટલે જ આ વાત છે કે ધ્યાન જેવું હોય તે પ્રમાણે માણસ સુખી કે દુઃખી બને છે, હરખ કે શોક અનુભવે છે. માટે સુખી બનવાની ચાવી આ કે ધ્યાન મલિન નહિ, નિર્મળ રાખો, ભળતી વસ્તુ ઉપર નહિ, પણ મુખ્ય વસ્તુ પર કેન્દ્રિત કરો, જેથી ખેદ-ઉદ્વેગ સ્પર્શી શકશે નહિ. એવા નિર્મળ શુભ ધ્યાનથી પરલોક માટે પણ શુભ કર્મનું જ ઉપાર્જન થાય છે, તેથી ત્યાં પણ સુખ-સગવડ આવી મળે છે. આમ અહીંના સુખદુઃખ અને પરલોકની સારી-નરસી સ્થિતિ અહીંના સારા-નરસા ધ્યાન પર સર્જાય છે. માટે ધ્યાન એ જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે.
*
*
*
ક
૨. ધ્યાનને જીવન સાથે સંબંધ
કોઈપણ વસ્તુ પર મનની એકાગ્ર ચોંટ એ ધ્યાન, અશુભ ધ્યાનથી ચિંતા-અજંપો ઃ
ધ્યાન એ પહેલાં કહ્યું તેમ વસ્તુના ઉપલકિયા ભળતા મુદ્દા પર હોય યા અંદરના મુખ્ય મુદ્દા ઉપર હોઈ શકે. દા.ત. પૈસા મળ્યા, હવે એમ એના પર મન ચોટે કે “આ ન જાય, એ ટકી રહે તો સારું', તો એ પૈસા-વસ્તુના ઉપલકિયા મુદ્દા પર મન ગયું. પૈસાનું ટકી રહેવું એ ઉપલકિયા બાબત છે, ભળતી બાબત છે, કેમકે પૈસા એ ટકનારી વસ્તુ નથી. પૈસા ભલે થોડો સમય ટકી ગયા દેખાય, પણ અંતે તો જવાના એ નક્કી, અહીં જીવતાં ય એ જાય, ને અંતે મરીને તો કોઈ જ પૈસા સાથે લઈ જઈ શકતું નથી, કે પાછળવાળા એને પહોંચાડી શકતા નથી. મરેલાને મનીઓર્ડર થઈ શકે ? મોટો કરોડપતી મર્યો પણ એનો વારસો લેનાર એના પ્રેમાળ છોકરા ય એને જ્યાં ગયા હોય ત્યાં પાંચ રૂપિયાનો પણ મનીઓર્ડર કરી શકે ? ના. એ સૂચવે છે કે પૈસા કાયમ ટકનારી વસ્તુ નહિ. હવે જે એમ મનની ચોંટ રહે કે “આ મળેલા પૈસા ટકી રહે તો સારું, જાય નહિ તો સારું', તો એ મનની ઉપલકિયા ભળતી બાબત પર ચોંટ થઈ. એ અશુભ ધ્યાન છે. એમાં ચિંતા, સળવળાટ, અજંપો રહેવાનો. શુભ ધ્યાનથી શાંતિ :
પરંતુ જો મુખ્ય મુદ્દા પર મન કેન્દ્રિત થાય કે દા.ત. “આ પૈસા એ તો નાશવંત પુણ્યનો વિપાક છે, મારા તાબામાં નથી, પુણ્યોદયના તાબામાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org