________________
ધ્યાન અને જીવન જ પ્રભુની સાથે જઘન્યથી ક્રોડ દેવતા રહેનારા, તે શું ગોશાળાને રોકે નહિ? દેવોની સામે ગોશાળાની મજાલ નહિ કે પ્રભુની સામે કશું વિપરીત કરવા ડગ પણ ઉપાડી શકે. પરંતુ કર્મ બળવાન છે, એ ઉદયમાં આવે ત્યારે ભલભલા દેવતાની આંખમાં ધૂળ નાખી દે, એના ય મગજ બીજે જ ક્યાંય ચાલ્યા જાય અને અહીં કર્મ સરળતાથી પોતાનો ભાવ ભજવી જાય. એટલે વાત આ છે કે અણધારી આફત સ્વ કર્મના ઉદયથી જ આવે. કર્મથી દુઃખ અને દુઃખથી કર્મનાશ:
હવે, જેમ આ સાચું છે કે પોતાના અશુભ કર્મના ઉદય વિના દુઃખ આપત્તિ ન આવે,
એમ, આ પણ એટલું જ સાચું છે કે એકેક પળની આપત્તિ આવ્યા પછી એને આપનારું તે તે પળનું કર્મ ઊભું રહે જ નહિ.
એટલે સમગ્ર આપત્તિ-દુઃખ ભોગવ્યા એની સાથે જ એનાં કર્મ રવાના થયા. કેમકે કર્મ પાક્યું, ઉદયમાં આવ્યું, ત્યારે જ દુઃખ-આપત્તિ આવી અને પાકેલું કર્મ હવે નીરસ થઈને આત્મા પરથી ખરી જ જાય. પાકેલું ગુમડું વેદના આપે છે, પણ એ પાકેલું ફૂટી જાય છે એટલે પછી એ જાય છે ને ? બસ, કર્મનું એવું જ છે. પાકેલું કર્મ વેદના આપે, ને તરત ફૂટીને ચાલ્યું જાય.
જેટલું દુઃખ ભોગવો એટલાં અશુભ કર્મ ખત્મ,
જેટલાં સુખ ભોગવો એટલાં શુભ કર્મ ખત્મ. એટલે જ આ વાત છે કે ગમે તેવી દુઃખ-આપત્તિ અણધારી આવી, પરંતુ જો ધ્યાન કર્મના નિકાલ પર હોય કે “આ જેટલું દુઃખ ભોગવું છું એટલાં મારાં અશુભ કર્મ ઓછાં જ થતાં જાય છે, કર્મનો નિકાલ જ થતો જાય છે, તો પછી એવા કચરાના નિકાલ પર ખેદ શું કામ થાય ? હરખ થાય કે “હાશ ! કચરો સાફ થઈ રહ્યો છે !” ત્યારે ધ્યાન કર્મના નિકાલ ઉપર ન હોય અને કર્મના ઉદય કે બીજ ઉપર હોય, તો ખેદ થવાનો કે “હાય ! દુઃખ ક્યાં આવ્યું? હાય ! આ ફલાણાએ મારું બગાડ્યું.' દુઃખ છતાં દુઃખી નહિ?
કર્મના નિકાલ ઉપર દૃષ્ટિ છે એને શું દુ:ખ નથી ? છે, છતાં એને ખેદ નથી, મનને દુઃખ નથી, એ દુઃખી નથી.
મહાવીર પ્રભુ ઉપર દુઃખ ઘણાં આવ્યાં પણ પ્રભુ દુઃખી નહોતા, કેમકે પોતાના ધ્યાનમાં મસ્ત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org