________________
૨H. ધ્યાન અને જીવન પક્ષપાતી છે કે અમુકને જ પ્રતિકુળતા - આપત્તિ – અકસ્માત્ આપે ? તે ય ગુના વિના પણ આપે ?' જન્મેલા કેટલાક બાળકનો અહીંનો કોઈ ગુનો નથી, છતાં માંદા કેમ ? ભગવાન માંદા પાડે તો એ કેવા ક્રૂર ગણાય ? માટે આ બધી વાત ખોટી. એક જ વાત સાચી કે જીવનમાં પોતાનાં પૂર્વ જન્મે ઉપાર્જિત અશુભ કર્મ અહીં ઉદયમાં આવ્યાં, એટલે એને અણધારી આપત્તિ આવે છે.
રામચંદ્રજી એ દશરથના કુળના દીપક જેવા કેવા સદ્ગુણી સરળ પ્રકૃતિના પુત્ર ! છતાં કેમ એમને રાજ્યાભિષેકના જ અવસરે વનવાસ જવું પડ્યું? કૈકેયીનો દોષ હોય એમાં રામને દંડ ? રામનો રાજ્યહક ફૂલ ? માનવું જ પડે કે રામના પોતાના પૂર્વકર્મ વિના આમ બને જ નહિ.
સીતાજી મહાસતી હતા. રાવણ એમને જંગલમાંથી ઉપાડી ગયો એ સીતાના ક્યા વાંકે ? કઈ ભૂલે ? તો શું રામ-લક્ષ્મણની ભૂલે કે એ બંને બહાર ગયા એટલે રાવણથી સીતાનું હરણ થયું ? ઠોકર કોક ખાય, ને લોહી બીજાને નીકળે ? થાંભલે માથું કોઈનું અફળાય અને ઢીમણું બીજના માથે થાય? ના, પોતાની ભૂલે જ પોતાને દુઃખ આવે. રાવણ સીતાને ઉપાડી ગયો એમાં સીતાનાં પોતાનાં પૂર્વ કર્મ જવાબદાર હતાં. એમ સીતાજી ત્યાં રાવણના કોઈ પણ પ્રલોભન કે ભયથી ડગ્યા નહિ, મહાપવિત્ર રહ્યા છતાં અયોધ્યામાં પાછા આવ્યા પછી લોકે કેમ એવા પવિત્ર મહાસતીનો અપવાદ ગાયો ? “રાવણને ત્યાં રહી આવેલા એ પવિત્ર હોય જ નહિ. એવાને રામ જેવાએ રખાય નહિ'... વગેરે કલંક કેમ ચડ્યું ? તેમ એમને રામ જેવાએ જંગલમાં કેમ મૂકાવી દીધા ? કહેવું જ પડે કે સીતાના પોતાનાં જ પૂર્વોપાર્જિત કર્મે ઉદયમાં આવી આ કર્યું. પોતાનાં અશુભ કર્મ વિના આપત્તિ શાની? મહાવીર પ્રભુનાં કર્મની શિરજોરી :
સારાંશ, અહીં તમે ગમે તેટલાં સારા બનો, સારા વર્તો, સારા રહો, પરંતુ જો તેવા કોઈ પૂર્વનાં અશુભ કર્મ ઉદયમાં આવ્યા, તો આપત્તિ આવવાની જ. પ્રભુ મહાવીર ઘણા સારા હતા, છતાં ચારિત્ર લીધા પછી પાર વિનાની આપત્તિ આવી ને? એ પોતાનાં જ તેવાં પૂર્વનાં કર્મનાં ઉદયે. દેવતા શું, મનુષ્ય શું, કે તિર્યંચ શું, બધાએ પ્રભુને ઉપદ્રવ ઘોર કર્યા, પરંતુ એ બધા તો આપત્તિ-ઉપદ્રવમાં ગૌણ કારણ, કિન્તુ પ્રધાન (મુખ્ય) કારણ તો પ્રભુનાં પોતાનાં કર્મ જ. કર્મની ભારે શિરોરી, એ પ્રભુને ય પકડે ! એવાં કર્મ ખલાસ થઈ ગયા અને પ્રભુ કેવળજ્ઞાન પામ્યા. પછી તીર્થકર બન્યા પછી કોઈ જ ઉપદ્રવ આપત્તિ નહિ; માત્ર એક કર્મજુથ બાકી હશે તે તીર્થકર બન્યા પછી પણ ગોશાળાની તેજલેશ્યાની આપત્તિ આવી અને એ છ મહિનાની પીડા લાવી. એમાંય ગોશાળો તો ગૌણ જ કારણ હતો અને પ્રભુનાં કર્મ જ મુખ્ય ભાગ ભજવતા હતા. નહિતર જે કર્મ બાકી ન હોત, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org