________________
* ધ્યાન અને જીવન -
(મેટ્રિક - કોલેજના વિધાર્થીઓને ધાર્મિક ગ્રીમ શિક્ષાયતન શિબિરમાં
શ્રી ધ્યાનશતક શાસ્ત્ર પર અપાયેલાં પ્રવચનના આધારે)
જ
૧. દુઃખમાં કર્મનિકાલ પર ધ્યાન
માનવજીવનમાં ધ્યાન અગત્યનો ભાગ ભજવે છે, માનવને મોટામાં મોટું સાધન “વિશિષ્ટ શક્તિવાળું મન મળેલું છે. એ મનની ધ્યાનધારા ઉપર એ સુખ-દુઃખના સર્જન કરે છે, હર્ષ-શોકનાં સર્જન કરે છે, બાદશાહી-ગરીબી સર્જે છે અને પરલોક માટે પ્રબળ શુભાશુભ કર્મનાં સર્જન કરી શકે છે, યાવત્ અનંત સંસાર યા અનંત મોક્ષ ઉપાર્જી શકે છે. બાહ્ય સંયોગો-પરિસ્થિતિ વગેરે પ્રતિકુળ પણ હો, કિન્તુ તેથી દુઃખી થવાય એવો નિયમ નહિ, કેમકે જો મનનું ધ્યાન કર્મના નિકાલ પર હોય તો ખેદ-ઉદ્વેગ ન થતાં હરખ થાય છે. પ્રતિકુળતામાં કર્મનો નિકાલ કેમ?:
અણધારી આફતમાં કારણ કોણ? માણસ અણધાર્યો માંદો પડે છે, અણધાર્યો અકસ્માતનો ભોગ બને છે, અણધારી પત્ની બિમારી, પુત્રબિમારી, વેપાર-ખોટ, શેઠની નારાજી, રાજ્ય ટેક્ષ, મોંઘવારી, ગૃહભંગ વગેરે વગેરે કઈ આપત્તિથી ઘેરાય છે. આ અણગમતું અણઈચ્છવું અણધાર્યું કેમ બની આવે છે ? જીવની અહીંની બરાબર સાવધાની હોય, ઉદ્યમ સીધી લાઈને હોય, છતાં આમ કેમ બને છે ? કહો,
પૂર્વના ઉપાર્જેલા પોતાનાં અશુભ કર્મના ઉદયથી જ અણધારી ય આપત્તિ આવે છે.
ભગવાને આમ કર્યું', કે “By Chance એમજ એકાએક બન્યું” વગેરે સમાધાન લૂલા છે. કારણ વિના કાર્ય બને જ નહિ એવો જગતમાં સનાતન સિદ્ધાન્ત છે. નહિતર તો દૂધ વિના એમજ એકાએક દહીં બની જાઓ ! સૂર્ય વિના વિશ્વ પર એમજ તાપ અને પ્રકાશ ઝળહળી ઊઠો ! ના, કારણ મળ્યા વિના કાર્ય શાનું થાય ? ત્યારે ભગવાનને જો કારણ માનો તો “શું ભગવાન નિર્દય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org