SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૦૪ પણ થાય છે. જીવને એ વિષયોની ગરજ છે, પછી એ મેળવવા સેવવાની ભાવના સહેજે જાગે છે. અને પુરુષાર્થ પણ ઝટપટ થાય છે. એમ ધર્મની ગરજ હોય એની ઉત્કટ ઈચ્છા હોય, તો ધર્મ કરવાની બુદ્ધિ અને ઉદ્યમ શું કામ ન થાય ? ‘ધર્મનું પુણ્ય નથી એટલે ધર્મ નથી થતો' એમ કહેવામાં તો સવાલ એ આવીને ઊભો રહે કે એ કયું પુણ્ય ? મનુષ્ય જન્મ, ઉચ્ચ કુળ, આર્યદેશ દેવગુરુનો સંયોગ, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિયોની પટુતા, આ બધું મળવાનું પુણ્ય હોય ને એ મળે, ત્યાં ધર્મ કરવાની સગવડ થઈ; હવે શું જોઈએ ? પુરુષાર્થ. એ જગાવવા પુણ્યથી પ્રાપ્ત જિનવાણી યાને જિનાજ્ઞાનુસારી ગુરુ-ઉપદેશનું શ્રવણ જોઈએ. આ પણ પુરુષાર્થ માગે છે; પુણ્ય તો ઉપદેશ મળવાનો સંયોગ આપે. પછી સાંભળવા માટે તા ઉદ્યમ જ જોઈએ. એમ સાંભળીને દિલમાં ઉતારવા અને આચરણમાં લાવવા માટે પણ પુરુષાર્થ જ જોઈએ. માટે કહેતા નહિ કે પુણ્યનો ઉદય નથી માટે ધર્મ નથી થતો. પુણ્યના ઉદયે તો સારું શરીર, સારી ઈન્દ્રિયો અને ખાનપાનાદિ સારી સામગ્રી મળી છે.એટલે જ જીવ એના ભોગ વિલાસમાં ડૂબ્યો છે. અનુકૂળ ન મળ્યું હોત, ઓછું મળ્યું હોત તો તો રંગ-રાગ ઓછા સૂઝત, આ તો ‘મળ્યાના મીર, નહિતર ફકીર' એવી વાત છે. વાત એ છે કે પુણ્ય જોરમાં છે ત્યાં સુધી રંગરાગ સૂઝે છે. પણ એમાં ધક્કો લાગે ત્યારે ચોંકામણ થાય છે કે ‘હેં ? હવે આ જવાનું ?' પછી ત્યાં કોઈ પણ શક્ય ધર્મસાધના કરી લેવાનું મન થાય છે, ઉદ્યમ થાય છે. આ કયારે થયું ? પુણ્યના ચાલુ ઉદયને ધક્કો લાગ્યો ત્યારે ને ? એટલે આ સમજી રાખવા જેવું છે કે પુણ્યના ઉદયે ધર્મ નહિ રંગરાગ સુઝે છે. માટે ત્યાં સાવધાન રહેવા જેવું છે, ને ધર્મમાં લાગી જવા જેવું છે. પુણ્યના ઉદયમાં આ વિચારવા જેવું છે કે પુણ્યના ઉદયથી મળેલ સામગ્રી, જો ધર્મ નહિ સધાય તો, મહાન પાપારંભોમાં વપરાશે, ને મદ-માન-મમતાદિ કષાયો મોટા કરાવશે, માટે પુણ્યના ઉદયમાં તો દાનાદિ ધર્મ ખાસ કરું.' જો પુણ્ય ખૂટવાનાજ અવસરે ધર્મ કરવાનું રાખ્યું તો ઠગાવાનું થશે. કેમકે જે આયુષ્યનું પુણ્ય ખૂટયું તો ધર્મ કરવા અવસર જ નહિ રહે. ત્યારે જો પૈસા વગેરેનું પુણ્ય ખૂટી ગયું તો પેટ ભરવાની જ મોટી ચિંતા રહેશે ત્યાં ધર્મ કયાંથી સૂઝવાનો? ત્યારે જે શરીરશક્તિનું પુણ્ય ખૂટયું તો ત્યાં તો શરીરની જ ચિંતા અને શરીરની જ સેવા મુખ્ય બની જશે, પછી ધર્મને જગા જ ક્યાં ? ત્યારે એમાંના કોઈ પણ પુણ્યનો થોડો અંશ બાકી હશે ત્યારેય ધર્મ સૂઝવાનું મોઘું છે; કેમકે એ બાકીની ખબર જ પડવી મુશ્કેલ છે. એ તો મહાબળ રાજા ભાગ્યશાળી કે એને એક માસનું આયુષ્ય બાકી હોવાની ખબર પડી, ને જાગી ઊઠ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy