________________
૧૦૧
|| અધ્યાત્મયોગ તત્વચિંતન | રોવાનું ખરેખર રોવાનું નહિ પણ હિતમાર્ગ પર મમત્વ વધારવારૂપ બને છે. માટે ત્યાં ગુરુની મમતા ખોટી નથી કરતી. દુન્યવી ચીજ અને ગુરુની મમતામાં ભેદ :
ત્યારે દુનિયાના માણસો પર કે દુન્યવી ચીજવસ્તુ પર રાગમમત્વ હોય છે. તે તે પોતાની ઈન્દ્રિયોના વિષયોની આસક્તિના લીધે હોય છે. એટલે એમનો વિયોગ થતાં જે રડવાનું થાય છે એમાં તો એ વિષયો-વિષયસુખો ખોવાવાનું દુ:ખ છે; એમાં ગર્ભિત વિષયરાગ તાજો થાય છે. એટલે જ કલ્પાંત છે કે હાય ! હવે આ વિષયસુખ શી રીતે મળશે !”
આમ દુનિયાની ચીજ વિયોગમાં રોવરાવનારી અને તે વિષયાસકિતને દઢ કરવા માટે; એટલે મૂળમાં એ ચીજનો મોહ ખોટો ઠરે છે. ત્યારે પહેલાં કહ્યું તેમાં
ગુરુનો વિયોગ થતાં રહેવાનું થાય છે તે હિતમાર્ગ પર મમત્વ અને વધુ સાવધાની માટે થાય છે. એટલે એ વસ્તુ લાભમાં હોઈ ગુરુ પરનું મમત્વ ખોટું નથી કરતું.
એટલે હવે અંતે જે રોવરાવનારું હોય એના પર મોહમમતા શી કરવી? એ અહીં ગુરુ વગેરે અંગે લાગુ નહિ પડી શકે. કેમકે અહીં તો રોવા પર પણ ગુણનો લાભ થાય છે. માટે એ ગુર્નાદિ ઉપર વૈરાગ્ય નથી કરવાનો. કિન્તુ સંસારની બીજી ચીજો તો અંતે રોવરાવનારી અને જીવને નિરાધાર બનાવનારી, સાથે પાપ અને દોષની વૃદ્ધિ કરનારી હોઈ પહેલેથી જ એની પર મમતા કરવી ખોટી.
વાત આ હતી કે હેય તત્ત્વની બરાબર શ્રદ્ધા હોય તો પણ વૈરાગ્ય ઝળહળે. એનું કારણ એ કે સર્વજ્ઞ ભગવાને ઈન્દ્રિયોના વિષયો-કષાયો વગેરેને જે હેય યાને ત્યાજ્ય કહ્યા છે, તે શાથી ?
વિષય-કપાય હેય એટલા જ માટે, કે એ સંસારની જડ છે, ભવભ્રમણનું મૂળ કારણ છે, ઊંચા માનવભવને બરબાદ કરી, નકામો કરી ઠેઠ એકેન્દ્રિયપણાના અવતાર સુધીમાં પટકનાર છે. માટે જ એ હેય છે. આમ જો એ ખતરનાક હોઈ ત્યાજય છે તો એના પર સહેજે વૈરાગ્ય થાય. મનને એમ થાય કે “અરેરે ! જે આ વિષયોકષાયો અને હિંસાદિ પાપો, પૈસા, પરિવાર વગેરે આત્મઘાતક છે, અને એ પાછા આ એક જીવનમાં ય પૂરા ટકે કે નહિ એની કોને ખબર ? ત્યારે જીવનના અંતે તો અવશ્ય છૂટા જ પડનારા છે, તો પછી એના પર શા રાગ કરવા ? એની પાછળ આ ઉચ્ચ જીવન ખત્મ કરવામાં શી બુદ્ધિમત્તા ?' એમ હેય તત્ત્વની શ્રદ્ધાથી વૈરાગ્ય જાગતો થઈ જાય.
વાત આ ચાલે છે કે અધ્યાત્મયોગમાં શ્રધ્ધા સાથે તત્વચિંતન કરવાનું હોય છે. એથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. એ કેવી રીતે ? એના ઉત્તરમાં એ જોયું કે તત્ત્વ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org