SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) ધ્યાન અને જીવન (૧) એક તો એ જુઓ કે ગુરુના વિયોગે રોવાનું કેમ થાય છે? વિયોગે જે રોવાનું થાય છે. તે શું એમ સમજીને કે (A) બહાર થી ગુરુનો સંયોગ હોય એટલા માત્રથી આપણું કલ્યાણ થાય ?' કે (B) ગુરુ તો મોટા ગૌતમસ્વામી જેવા મળ્યા હોય છતાં આપણા દિલમાં એમનો ઉપદેશ ઉતારીએ તો જ કલ્યાણ થાય, નહિતર ગુરુનો સંયોગ હોવા માત્રથી કશું ન વળે ?' આમાંની કઈ સમજ પર રોવાનું થાય છે? જો પહેલી જ વાત હોય તો તો ધરાર કશું જીવનમાં ઉતારવું નથી, પછી ગુરુના સંયોગમાત્રથી શું વળવાનું ? તો એવા સંયોગની મમતાનો કશો અર્થ નથી. એમાં તો વૈયક્તિક ગુરુનું કાં સુંદર રૂપ, યા કોઈ મીઠામીઠા શબ્દ વગેરેની મમતા રહેવાની, અને એના મોહનો કશો અર્થ નથી. ત્યારે જો ગુરુનો હિતનો ઉપદેશ દિલમાં ઉતારાય છે, તો પછી મુખ્ય વસ્તુ તો . હિતનો અમલ કહેવાય. પછી ગુરુ એમના નિયમ મુજબ ભલે ચાલી ગયા.પણ પછી રોવાનું શું કામ? ગુરુ આપણી પાસે હોઈને પણ એમના કહેલા હિતમાર્ગના આચરણ પર જ કલ્યાણ સમજતા હતા, તે ગુરુના જવા પછી પણ એ હિતમાર્ગ તો આપણી પાસે છે જ, અને એ આરાધીએ એથી કલ્યાણ નિશ્ચિત છે. પછી રોવાનું શું કામ? હાં, ઉપકારી ગુરુ ગયા એ મનને લાગે; પરંતુ એમાં કાંઈ એકલું રોયા કરવાનું ન હોય; કેમકે જીવનમાં મુખ્ય તો હિતમાર્ગ પર લક્ષ છે, ને એ ગુરુ પાસેથી મળેલ છે. એટલે મુખ્યતયા રાગ-મમતા હિતના માર્ગ પર રાખવા ઉપયોગી છે. એ વિના એકલા ગુરુ-રાગથી શું વળે ? પ્ર૦ - પણ ગુરુ હોય તો નવા નવા હિતમાર્ગ આપણને બતાવે ને ? યા જુનામાં સ્થિર કરે ને ? (૨) ઉ૦ - બસ અહીં બીજી વાત આ આવી કે ગુરુપર રાગ છે તે હિતમાર્ગના રાગને લીધે છે. ગુરુ પાસેથી એ મળે છે, માટે ગુરુની ઉપર રાગ રહે છે. એટલે ગુરુના જવાથી રોવું થાય છે. એમાં તો પેલા હિતમાર્ગની ચાહનાના અંગે રોવાનું થાય છે. એટલે, ગુરૂની પાછળ રોવામાં હિતમાર્ગના પ્રેમ વ્યકત થાય છે. અરે ! કેટલીક વાર તો ગુરુવિરહમાં હિતમાર્ગનો રાગ વધે છે. મનને એમ થાય કે હવે ગુરુની હાજરી નથી તો મારે વિશેષ સાવધાન થવાનું, અને હિતમાર્ગ બરાબર સાચવવાનો, હિતમાગે આગળ વધવાનું. જો આ સાવધાની નહિ રાખું તો હવે કાંઈ ગુરુ કહેવા-ટકોરવા નથી આવવાના. તેથી સાવધાની નહિ હોય તો ઉલટું અનાદિના કુસંસ્કાર જાગતા થઈને મને હિતમાર્ગથી હેઠે ઉતારી દેશે. આમ, ગુરુના વિરહ હિતમાર્ગ પર રાગ-મમતા-સાવધાની વધી જાય છે. તો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy