SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગ ઃ તત્ત્વચિંતન ce આટલો આટલો ત્યાગ કર, ભગવાન સાથેના સંબંધની ખાતર અમુક અમુક છોડ’ બહુ મજેની સમજુતી છે આ. ચંદનબાળાએ ત્રણ ત્રણ દિવસ ભોંયરામાં પૂરાવા છતાં ને ભૂખી તરસી બેસી રહેવું પડયું છતાં, મનમાં જરાય દુ:ખ ન માન્યું. કેમ ? ‘વહાલા વીર ભગવાનની ખાતર આટલું સહુ એમાં શી મોટી વાત છે ? આ સહીને જ ભગવાનની સાથે તાર જામશે;’ - આ હુંફ છે. એટલે ઉલટી રાજી થઈને ભૂખી તરસી દિવસો પસાર કરે છે. એમાં મહાવીર ભગવાનનું ધ્યાન એવું લાગ્યું છે કે એ જાણે ભગવાન સાથે સાક્ષાત્ તન્મય સંબંધમાં છે. ખાવાપીવાની ક્રિયા તો નથી, પરંતુ એની વિચારણા ય નથી કે ‘ખાવાપીવાનું કયારે મળશે ?’ અરે એય વિચાર નથી કે બે દિવસથી અહીં કોઈ આવતું નથી તો શું આમજ અહીં ભોંયરામાં પૂરાયા ભૂખે મરી જવાનું ? ભગવાન સાથે સંબંધ શું એમ જ જોડાતો હશે ? ખાવા - પીવા, પહેરવા - ઓઢવા, ચીજવસ્તુ લેવા - મૂકવા વગેરેના વિચાર કરવાનું ખુલ્લું હોય અને ભગવાનમાં મનને તન્મય બનાવવું છે, એ વાત બને નહિ. દેરાસરમાં પેસતા નિસીહિ કહેવાનું શા માટે છે ? આટલા જ માટે કે સંસારના વિચારનો નિષેધ નક્કી કરી પછી મંદિરમાં પેસો તો ત્યાં ભગવાનનો તન્મય વિચાર ચાલે, મનને ભગવાનનું તાન લાગે. પ્રતિક્રમણમાં પહેલું સામાયિક શા માટે ઉચ્ચરવાનું ? આટલા જ માટે કે પછીની દેવવંદન - ગુરુવંદન - પાપ પશ્ચાતાપ વગેરે ક્રિયાઓમાં તન્મય તો જ થવાય કે જો સામાયિકથી સાવદ્ય યોગો યાને પાપવ્યાપારોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કર્યો હોય જેથી પછી એનો વિચાર જ ન આવે. ચંદનબાળાએ ખાવાપીવા વગેરેના વિચાર બંધ કર્યા છે. તેથી પ્રભુમાં તન્મય થઈ છે. સુજયેષ્ઠાએ બધા સંગ છોડી પ્રભુનું શરણું લીધું. શ્રેણિકનો ધારેલો એક મેલાપ ન બન્યો એ પરથી જગતના પદાર્થો પરનો વિશ્વાસ ઊઠી ગયો. ત્યારે એ જુઓ કે જગતના પદાર્થો પર શા વિશ્વાસ મૂકવા ? કાયા-કંચન-કામિની-કુટુંબ-કીર્તિ વગેરે એકેએક ચીજ એવી છે કે એ મૂકીને જ મરવું પડે છે. ત્યારે જો એના પર મોહ છે, રાગ છે, તો મૂક્તાં રોવું પડે છે. જેની પાછળ મોહથી રોવું પડે, એના પર મોહ શો કરવો ? ગુરુવિયોગ પાછળ રોવું કેવું ? પ્ર૦ - એમ તો ગુરુ ચાલી જતાં રોવાનું થાય છે, તો શું ગુરુ પાછળ મમતાપ્રેમ-રાગ નકામા ? ઉત સવાલ મજેનો છે. આમાં સમજવા જેવું એ છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy