________________
ધ્યાન અને જીવન
૯.
કરી શકશે. ભગવાન વીતરાગ છે, સર્વને અભયના દાતા છે, સર્વપાપના ત્યાગી છે તો ભગવાનનો વિચાર કરવાનું એ લાઈન પર જ હોય. ‘ભગવાન રાજ્યવૈભવવાળા સંસાર-ભોગી, કે ધરવાસના મોટા આરંભ સમારંભવાળા હતા,' એ તરીકે એમન વિચાર ન થાય; એવો વિચાર વીતરાગ ભગવાનનો કર્યો ન ગણાય, એમ એ વૈભવવિલાસ - આરંભ સમારંભના ઉપદેશક તરીકે ય એમનો વિચાર ન થાય, પણ એ બધાના ત્યાગનો ઉપદેશ કરનાર તરીકે જ એમનો વિચાર થાય. એ વીતરા ભગવાનનો વિચાર ગણાય.
ભગવાનનું મહત્વ આંકયું કયારે ગણાય ?
માટે ભગવાન સાથેના સબંધમાં પહેલું તો આ જોઈએ કે સર્વ જીવોને અભયદાન અને સર્વપાપ - ત્યાગ કરવાની ઉત્કટ અભિલાષા હોય. એ હોય એટલે સર્વની અહિંસ અને સર્વપાપત્યાગનું મહત્વ ઊંચું આંકયું ગણાય ને એ આંકયું એથી સર્વ-અહિંસક અને સર્વત્યાગી વીતરાગ ભગવાનનું ઊંચું મહત્વ આંકયું ગણાય. નહિતર તો જો અહિંસા અને ત્યાગનું મહત્વ ન લાગતું હોય તો એ-વાળા ભગવાનની સાથે સંબંધ શો ?
ભગવાન સાથે સંબંધનું બીજું પગથિયું. :
આ તો પ્રાથમિક સંબંધની વાત થઈ. પછી જીવનમાં એ અહિંસા અને એ પાપત્યાગ ઉતારાય ત્યારે ભગવાનની સાથે વિશેષ સંબંધ જોડાય. કારણ સ્પષ્ટ છે, - એ હિંસા અન પાપો છોડયાં, એટલે એના અંગેના વિચારો આવતા હતા તે બંધ થવાના; તેથી પછી ભગવાન સાથે તન્મયતા થઈ શકવાની-આરંભ-સમારંભના, ઘરવાસના, ઈંદ્રિયોના વિષયોના, અને બીજાં પાપોના વિચાર આવતા હોય, ત્યાં ભગવાનનો કદાચ વિચાર કરે પરંતુ તન્મય વિચાર કયાં ? એક રંગનો વિચાર કયાથી આવી શકે ?
સુજયેષ્ઠાએ આ નક્કી કર્યું કે ‘આમે ય અશુભ કર્મના ઉદયે શ્રેણિક રાજાનો ઈંટ મેળાપ ન થયો, તો હવે બધાય સંગ છોડવા દે; નહિતર વળી કોઈ તેવા અશુભોદયે બીજી લપડાક ખાવી પડે ! ધોખામાં ઊતરવું પડે ! એનાં કરતાં સર્વસંગ છોડું એટલે ભગવાનની સાથે સાચો સંબંધ બંધાય. ભગવાન સાથેના સંબંધની ખાતર સર્વત્યાગનું જ જીવન અપનાઉં ! ચાલ જે બન્યું તે મજેનું - શ્રેણિકનો સંગ ગુમાવ્યો એ આ મહાન સંગના લાભમાં.’
ભગવાનની ખાતર આટલું કરો.
બોલો, વીતરાગ ભગવાન સાથે સંબંધ જોડવો છે ? એ જોડવો હોય તો (૧) પહેલું તો રંગ-રાગ-ભોગને ખતરનાક માની એના ત્યાગને જ કર્તવ્ય માનો; અને (૨) પછી શક્ય ત્યાગ આદરતા જાઓ. જીવને સમજાવો કે-બસ ભગવાનની ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org