SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગ: તત્ત્વચિંતન સુજયેષ્ઠાને આ વસ્તુ બનવા પર ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું. આ એક પ્રસંગ પરથી એણે સંસારનો કયાસ કાઢયો. એક તો એણે જોયું કે ‘દિલમાં શ્રેણિકને પતિ કરવાનું ધાર્યા પછી હવે એને છોડીને બીજો પતી કરવાનું કેમ ધરાય? ત્યારે વળી ભવિષ્યમાં એનો સમાગમ મળશે એવી આશા રાખીને કે કેમ બેસી રહેવાય ?' બીજું એ કે જયાં પૂરેપૂરો વિશ્વાસ હતો કે શ્રેણિક મને લઈ જ જશે ત્યાં જ એ વિશ્વાસનો ભંગ થયો, તો પછી સંસારના બીજા પણ એવા પ્રસંગ પર શો વિશ્વાસ મૂકાય? સંસારના કોઈ જ પ્રસંગ કે પદાર્થ ઉપર ભરોસે રહેવા જેવું નથી. માટે હવે તો આ ઘટનાથી શિખામણ મળી, તે મહાવીર પ્રભુનું જ શરણું લઉં, એમની પાસે ચારિત્રજ લઉં, એમના પર રાખેલા વિશ્વાસનો કદી ભંગ નહિ,” આમ વિચારી સુજ્યેષ્ઠા ચારિત્રમાર્ગે ચડી ગઈ વિવેકી-અવિવેકીમાં ફરક : વિવેકી લઘુકર્મી જીવને સંસારમાં એકાદ ઠોકર ખાવા પર આત્મહિત સાધવાનો વિચાર આવે છે. ત્યારે અવિવેકી ભારે કર્મી જીવને ઉદ્વેગ, કષાય દુર્બાન અને નવા પાપાચરણ કરવાનું સૂઝે છે. બજારમાં પૈસા ખોયા પછી ‘લાવ ત્યારે પૈસા ગયા, તો સુકૃતમાં ખરચવા દે.’ એવો વિચાર કેટલાને આવતા હશે ? ખાઈને શરીર બગડવા પર ‘લાવ ત્યારે, હવે તપ કરવા દે” એવી ભાવના કેટલાને ? એમ વિવેક જાગવો મુશ્કેલ છે કે, જો અશુભ કર્મ પૈસા અને ખાવાનું છોડાવે, તો પછી ધર્મ સાધવા એ કાં ન છોડું ?' સુકાને આ વિચાર આવ્યો કે “આમાં મારાં અશુભ કર્મના સંયોગે ઠેઠ નજીક આવેલો મનગમતા પતિનો મેળાપ જો જતો રહ્યો, તો પછી નથી ને એવા બીજા કર્મ સંજોગ ઊભા થાય તો બીજા ય વૈભવ આદિના યોગ ઊપડી જતાં વાર શી ? કર્મની મારી એ છોડવું પડે એના કરતાં તો ભગવાનની ખાતર આ બધું છોડવા દે, ત્યાગમાર્ગે જવા દે.” ભગવાનની સાથે સબંધ કેમ જોડાય ? ત્યાગ કેમ ભગવાનની ખાતર? ભગવાનની સાથે સંબંધ જોડાય એટલા માટે. ભગવાનની સાથે સંબંધની શરૂઆત ક્યાંથી? ભગવાનનો વિચાર કેવા તરીકે? વીતરાગ ભગવાનનાં વચન પર અટલ શ્રદ્ધા થાય, એમણે જે સર્વ સૂક્ષ્મ બાદર જીવોને અભયદાન અને સર્વ પાપોનો ત્યાગ પોતે અપનાવીને જગતના હિત માટે કહ્યો છે, એના પર શ્રદ્ધા - રુચિ - પ્રેમ થાય, એ પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા. થાય, ત્યારે ભગવાન સાથે સબંધની શરૂઆત થઈ. હવે એ ભગવાનનો કાંક વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy