________________
(૯૬)
| ધ્યાન અને જીવન શું આ ? જરાક વધુ ખાવાના અને શરીરને માનેલી શક્તિ આપવાના લોભમાં તપના પાયાનો આધ્યાત્મિક લાભ ગુમાવ્યો. શું માપ કરતાં વધુ ખાવાથી પછી ઉપવાસમાં શકિત રહે છે? ના, વાયુ વધે છે અને શરીર હાડકા ઢીલાં પડે છે. માપથી જરા ઓછું હોય તો પેટ, આંતરડા, અને નાડીઓમાં વાયુની ગતિ બરાબર રહે તેથી
ફુર્તિ સારી રહે, અને ઉપવાસ ફુર્તિબંધ થાય. માંહી પડયું મહાસુખ પામે” એ સિદ્ધાન્ત બધે ન લગાવાય. એમ કરવા જતાં કેટલુંય ગુમાવવું પડે. ઉપવાસમાં પેલા વાયુથી ફુર્તિ નહિ, તેથી સ્વાધ્યાય વગેરે સાધનાઓ માલ વિનાની થાય. આ તો મામુલી વાત થઈ, બાકી
જરાક લોભમાં સુરેન્દ્રદત્તે શું ગુમાવ્યું ? - દુન્યવી લોભ કરવા જતાં કેટલેક ઠેકાણે આધ્યાત્મિક લાભ ગુમાવવાના થાય છે. રાજા સુરેન્દ્રદત્ત તરત ચારિત્ર લેવાને તૈયાર છતાં લુચ્ચી પત્ની કહે હું પણ સાથે જ ચારિત્ર લેવાની છું ને ? પણ આ એક દિવસ કુમાર રાજ્ય કેવી રીતે કરે છે તે જોઈને પછીના દિવસે ચારિત્ર લઈશું ” ત્યાં રાજા એનું મન સાચવવાના લોભમાં પડ્યો. તો પરિણામ એ આવ્યું કે રાણીએ તંબોળમાં ઝેર આપી દીધું અને રાજા અસમાધિમાં મય ! મરીને તિર્યંચ ગતિ મોરનો અવતાર પામ્યો ! એથી તો પછી ભવોની પરંપરા બગડી. રાજાએ આગલી રાતે જ રાણીનો દુરાચાર તો નજરે જોયો હતો, પરંતુ સાથે દીક્ષા લેવાની એની મીઠી મીઠી વાતમાં તણાયો, અને એનું મન સાચવવાના લોભમાં પડયો, ત્યાં પછી એના ભવ બગડી ગયા. માટે આ ખાસ ધ્યાન રાખવાનું કે ધાર્મિક-આધ્યાત્મિક લાભ થતો હોય ત્યાં બીજા ત્રીજા લોભમાં નહિ પડવાનું.
સુજયેષ્ઠાને બદલે ચેલાણા :. સુજયેષ્ઠા રત્નનો દાબડો લઈ આવવાના લોભમાં પડી, તો અહીં શ્રેણિક સુરંગના નાકે આવી ગયો. ત્યાં સુજયેષ્ઠા તો જોવા ન મળી, પરંતુ એની નાની બેન ચેલણા જોવા મળી. ચેલણા બેનને મૂકવા આવી હશે, તે ઊભેલી. સુજ્યેષ્ઠાની બેન છે ને? તે લગભગ સમાન રૂપવાળી; એટલે શ્રેણિક સમજો કે આ જ સુકા છે, તે એને રથમાં ઊપાડીને તરત ચાલી ગયો.
હવે અહીં પાછળથી સુજયેષ્ઠા દાબડો લઈ આવી પહોંચી ત્યાં જુએ છે કે શ્રેણિક તો આવીને ચેલણાને લઈને ચાલી ગયો. હવે શું કરવાનું?' જો કે અહીં થોડા લોભમાં આ ગુમાવવાનું થયું. પરંતુ સારા આત્મા માટે તો આ લાભમાં ઊતરવાનું બને છે.
ભૌતિક નુકસાન આત્મિક લાભમાં ઊતરે એવો નિયમ નહિ, પરંતુ સારો બુદ્ધિમાન જીવ એ લાભ ઊભો કરી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org