SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૪) | ધ્યાન અને જીવન અને હોંશે હોંશે ખાતો દેખાય, પરંતુ અંતરમાં તો એના પ્રત્યે અરુચિ જ હોય એમ ચારિત્રાવરણ કર્મનો રોગી જીવ આશ્રવ હોંશે સેવતો દેખાય, છતાં સમ્યકત્વના પ્રભાવે એના અંતરમાં તો એના પ્રત્યે અરુચિ જ હોય. ત્યારે મિથ્યાત્વકર્મના રોગના લીધે અંતરમાં આશ્રવ-કુuથ્યની રુચિ હોય છે પણ સમકિતીને એ રોગ નીકળી જવાથી એની રૂચિ નહિ, અરુચિ હોય છે. છતાં ચારિત્રમોહનીય કર્મનો રોગ હજી ઊભો હોવાથી એના પર રાગ આકર્ષણ થાય છે, રાગથી એ સેવવા જાય છે. વિષયવૈરાગ્ય કેમ જાગે ? : આમ સર્વજ્ઞ ભગવાનના વચન પરની શ્રદ્ધાથી હેય યાને ત્યાજ્ય આશ્રવ-તત્ત્વની શ્રદ્ધા ઊભી થાય છે, તેથી અંતરમાં વિષય-કષાય આદિ આશ્રવ પ્રત્યે ગ્લાનિ-અરુચિનફરત અનુભવાય છે. એમ એના પ્રત્યેનો વૈરાગ્ય વધતો આવે છે. એ જુએ છે કે (૧) જગતના સર્વ ઈષ્ટ કયાં લભ્ય છે ? : ભગવાને આમ તો વિશ્વમાં કેટલા બધા વિષયો હેય બતાવ્યા છે. હું કયાં એ ગમે તેવા સારા મનગમતા હોય તો ય પામવાનો હતો ? એ સહેજે છૂટી ગયા છે. એના માટે ધખું તોય એ નથી મળવાના. પછી સર્વજ્ઞ કહે છે એ ખાતર પણ એને છોડવા લાયક માનું, હેય માનું, એમાં મારું શું બગડે?' આમ એને હેય તરીકે માનતા માનતાં સમસ્ત હેય પદાર્થ પર સુગ થાય છે. એ જ વૈરાગ્ય.આ એક રીતે વૈરાગ્ય. (૨) કોઈક પદાર્થના કડવા અનુભવે બાકીનાની સમાનતા : એમ, જગતના પદાર્થોનું યથાર્થ નિરીક્ષણ કરતાં કરતાં પણ એની અસારતા અને અનર્થકારિતા જણાઈ આવે છે, ને તેથી એ ત્યાજ લાગે છે. એ લાગવા માટે પહેલાં તો જીવનમાં કયારેક કોઈ પદાર્થનો કટુ અનુભવ થાય છે. પછી જગતના પદાર્થોને ય એવા સમજવાથી એ પદાર્થો પર વૈરાગ્ય ઝળહળે છે. ભર્તુહરિને પિંગલા રાણી પર બહું મોહ હતો. પરંતુ જયાં અમરફળનું પરાવર્તન જોયું. પોતે એને બક્ષીસ કરેલું અમરફળ મહેલના ઝાડુવાળાની પત્ની પાસેથી ફરીને પાછું પોતાની પાસે આવેલું દેખ્યું, એટલે ચોંકયો! તપાસ કરતા પિંગલાનો એ ઝાડુવાળાની સાથે અયોગ્ય સંબંધ જાણવા મળ્યો. આમ પત્ની એટલે જગતનો એક પદાર્થ, એની અસારતા પ્રત્યક્ષ અનુભવવા મળી, એ પરથી જગતના બીજા પણ પદાર્થોની અસારતા સમજી લીધી: ને વૈરાગ્ય ઝળહળી ઊઠયો. વેપારીને ત્યાં માલમાંથી નમૂનો કાઢી જોતાં રાશિ લાગે કે ભેળસેળ યા બનાવટી લાગે, તો એનો બધો માલ એવો જ હોવાનું માનવા મન પ્રેરાય છે. એવું આ સંસારના માલનું છે. કોઈ બજારમાં એક બે જગાએ ઠગાયા લૂંટાયા તો મનને એમ થાય છે કે “આ બજાર ચોરટિયા લાગે છે. બજારના વેપારીઓ વિશ્વાસ કરવા લાયક નહિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy