SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગ ઃ તત્ત્વચિંતન : ૯૩ શેય તત્ત્વની શ્રદ્ધાની જેમ હેય તત્ત્વની શ્રદ્ધા સાથેનું તત્ત્વચિંતન પણ અધ્યાત્મયોગના અભ્યાસરૂપ બને છે એ ચિંતન પણ વૈરાગ્ય પેદા કરે છે. હેય તત્ત્વનું ચિંતન વૈરાગ્ય કેવી રીતે પેદા કરે ? આ સવાલ ઊભો થાય. એનો જવાબ એ છે, કે હેય, તત્ત્વ છે (૧) આશ્રવ (૨) પાપ ને (૩) બંધ. ‘આશ્રવ’ એટલે ઈન્દ્રિયોની વિષાયસક્તિ ક્રોધાદિ કષાયો, અ-વ્રત ને હિંસાદિ દુષ્કૃત્યો, જેનાથી આત્મામાં અશુભ કર્મો શ્રવી આવે, વહી આવે તે. ‘પાપ’ એટલે એ અશુભ કર્મો. ‘બંધ’ એટલે એ કર્મોના નક્કિ થયેલા જ્ઞાનાવરણ વગેરે કર્મના સ્વભાવ, કર્મોની કાલસ્થિતિ, એના રસ અને પ્રદેશ. આ આશ્રવ પાપ અને બંધ હેય છે, ત્યાજય છે, કેમકે એ દુ:ખદ છે, જીવને સંસારમાં નિરાધારપણે ભમાવનારા છે, વિટંબણાકારી છે. એટલા માટે આ હેય તત્ત્વની શ્રદ્ધા એટલે એના પ્રત્યે અરુચિ થાય, ગ્લાનિ થાય, ભય લાગે, હૈયાનું એના પ્રત્યે આંતરિક વલણ અનાસ્થા-અવિશ્વાસ-અપ્રીતિનું હોય. પ્રશ્ન થાય, પ્રહ તો પછી જીવ હોંશે હોંશે વિષય-કષાયોરૂપી આશ્રવ સેવવા-લેવા-કરવા શું કામ જાય ? તે જાય તો અરુચિ કયાં રહી ? ઉ૦ - જુઓ, માણસ માંદો પડે તે દવા ખાય છે કે નહિ ? હોંશે હોંશે દવા લેવા જાય છે, અને હોંશે એ દવા ટાઈમ યાદ કરી કરીને ખાય છે ને ? છતાં એના અંતરમાં એ કડવી કે મીઠી દવા પ્રત્યે પ્રેમ છે ? ના, જેવો સારા ભોજન ઉપર પ્રેમ, તેવો દવા ઉપર નથી. એને તો રોગવશ ન છૂટકાની સમજે છે. અંતરથી તો એમ ઈચ્છા છે કે આ દવાની બલા કયારે છૂટે ? ત્યારે આરોગ્ય હોય તો ભોજન માટે કદી એમ નથી થતું કે આ ભોજનની બલા કયારે છૂટે ? કેમકે અંતરમાં એના પ્રત્યે પ્રીતિ છે, રુચિ છે, રસ છે. ત્યારે દવા પ્રત્યે એવો રોગ આવતાં રોગના નિકાલ પૂરતો ભલે કામચલાઉ રસ હોય, રુચિ હોય, પરંતુ ભોજન જેવો કાયમી રસ નથી, રુચિ નથી. રોગ છતાં ય અંતરમાં તો દવાને ગુલામી જ સમજે છે, વિટંબણા જ સમજે છે. ત્યારે સારાં ભોજનને કદી એવું સમજતો નથી. સ્પષ્ટ બતાવે છે કે દવા હોશે ખાય છતાં હૈયું દવા પ્રત્યે વેઠનું અને ભોજન પ્રત્યે રુચિનું. બસ એ જ રીતે હેય-ઉપાદેય તત્ત્વની શ્રદ્ધાવાળો જીવ હેય જે હિંસાદિ આશ્રવ એને વેઠ સમજે છે. અલબત એ આશ્રવો સેવવા તો જાય છે, પણ તે પોતાના ચારિત્રાવરણ કર્મના રોગને લીધે જાય છે. રોગમાં માણસ દવા હોંશે હોંશે ય લાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy