________________
૯૨)
| ધ્યાન અને જીવન કેમકે મૂળ આકાશદ્રવ્ય તરીકે એ નિત્ય અને ઘટાકાશ મહાકાશ તરીકે ઉત્પત્તિનાશવાળું એટલે અનિત્ય. એમ દીવો એમાંના મૂળ અણુઓની દષ્ટિએ નિત્ય. એ કોઈ નાશ નહિ પામનાર; એ તો બળતા દીવામાંથી ઊડયા તો કાજળ તરીકે રહ્યા; પણ કાયમ રહ્યા ખરા. ત્યારે હમણાં દીવામાં એ અણુ ચળકતા અને ગરમ તરીકે ઉત્પન્ન થયા, તો પછી એ જ એ રૂપે નાશ પામી કાજળના કાળા અને ઠંડા આણુ તરીકે ઉત્પન્ન થયા. એમ એ અનિત્ય. એટલે દીવો યે નિત્યાનિત્ય છે.
જીવ પણ નિત્યાનિત્ય :
આમ જીવ પણ જીવદ્રવ્ય તરીકે નિત્ય છે, કિન્તુ બાળ-કુમાર-યુવાન, યા મનુષ્યદેવ-તિર્યંચ તરીકે ઉત્પત્તિ-વિનાશવાળો હોય છે. માણસ એનો એ જ કાયમ, પણ બાળ મટીને કુમાર થાય છે, કુમાર મટીને યુવાન થાય છે. એટલે તે તે રૂપે એ અનિત્ય છે.
આમ, સમ્યગ્દષ્ટિ આત્માને અનેકાંતવાદી સર્વજ્ઞ ભગવાને કહેલ જીવ-અજીવ પદાર્થ નિત્યાનિત્ય તરીકે માન્ય છે. તેથી એ જુએ છે કે એમાં કયા પદાર્થ પર રાગ. કરવા જેવો ? કે કોની પર દ્વેષ કરવા જેવો ? કેમકે જે અંશ યાને જે પર્યાયને લઈને રાગ થાય છે; એ પર્યાય તો અનિત્ય હોઈ જવાનો છે, તો ફોગટિયા રાગ-દ્વેષ કરવાનું કામ શું ? ત્યારે અંતિમ નિત્ય અંશ સ્વારથિયા વ્યવહારમાં ઉપયોગી લાગતો નથી, પછી એના પર શો રાગ થાય ? તાત્પર્ય,
સમકિતી જીવ જગતની જડ-ચેતન વસ્તુ-માત્રને ઉત્પત્તિ-સ્થિતિ-નાશની મહાસત્તાથી વ્યાપ્ત જુએ છે. તેથી એને એના પર રાગ કે દ્વેષ કરવા જેવો લાગતો નથી. માટે વસ્તુમાત્રને માત્ર શેય તરીકે એના મનમાં અંકિત કરે છે. એકાંતવાદી મિથ્યાદષ્ટિનું આ ગજુ નહિ.
વસ્તુને કેવળ ય તરીકે અપનાવવી હોય તો આ ચાવી છે, કે એ ગમે તેવી સારી કે ગમે તેવી નરસી દેખાતી હોય, પરંતુ એને ઉત્પત્તિ-સ્થિતિ નાશની મહાસત્તાથી વ્યાપ્ત તરીકે જોવી.
સર્વજ્ઞ-શાસ્ત્રનો સ્વાધ્યાય શું આપે ? આ - શેય તત્વોનો વિસ્તારથી વિચાર આપે કે જેમાં મન પણ પકડાયેલું રહે; તેથી એ ફાલ વિચારોથી બચાવે, અને શુદ્ધ
યતાની ભાવના કરવાનું આપે-જેથી પણ જગતના જીવ-અજીવ પદાર્થમાં ઉત્પત્તિ -વ્યય-ધ્રૌવ્યની મહાસત્તાના ચાલુ દર્શન રહે; ને તેથી એનાં આકર્ષણ એના રાગલેષ ઓછા થઈ જવાથી મન બહુ એમાં જાય નહિ.
વસ્તુમાં ઉત્પત્તિ-નાશ-સ્વૈર્યના દર્શન કરો એના અંગે રાગ-દ્વેષ અટકે, આર્તધ્યાન અટકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org