________________
અધ્યાત્મયોગઃ તત્ત્વચિંતન
(૯૧) દા.ત. દેવતાઈ વિમાન - વેશ - અલંકાર વગેરે કયાં ? અને અહીં મળેલું કયાં ? પેલાની સુંદરતા કેવી ? એની સંખ્યા કેટલી બધી ? ત્યારે નરકના સ્થાન, નરકની ધરતી, ઠંડી - ગરમી વગેરેની આગળ અહીંનું શું વિસાતમાં ? તો જેમ હું ત્યાં રાગ દેષ કરવા જતો નથી પણ એ વિષયો માત્ર શેય રહે છે, એમ અહી મળેલા પદાર્થો પણ માત્ર શેય તરીકે જ સમજવાના, પણ રાગ કે દ્વેષ કરવા લાયક નહિ”
શેય તત્ત્વની તરીકેની શ્રદ્ધાથી આર્તધ્યાન અટકે :
બસ, સર્વજ્ઞ ભગવાને બતાવેલ વિશ્વના સમસ્ત જીવ અને અજીવ તત્ત્વની ‘શેય” તરીકે શ્રદ્ધા - ચિંતવના કરાય એટલે આપણને મળેલા જીવ - અજીવ પદાર્થ પણ એવા એટલે કે માત્ર શેય લાગે, રાગ - કેષ કરવા યોગ્ય નહિ; એટલે એના પર વૈરાગ્ય સુલભ બને. આમ ણેય તત્ત્વની ચિંતવના વૈરાગ્યની પ્રેરક બને. એ પદાર્થ પર ઉદાસીન ભાવ આવે એટલે પછી એના પરના રાગ-દ્વેષને લઈને એના જે બહું વિચારો આવતા હતા, બહુ આર્તધ્યાન થતા હતા, તે હવે ઘટી જાય, અટકી જાય.
આમ શાસ્ત્રસ્વાધ્યાયમાં મન પકડાયેલું રહે એમાં તત્ત્વચિંતન સુલભ બને અને તેથી શેય તત્વની શ્રદ્ધા પર જીવ અજીવ પર વૈરાગ્ય અને ઉદાસીનભાવ ઉપેક્ષાભાવ આવે તેથી એના વિચારો ઓછા થઈ જાય. આ કોને બને ? શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિ જીવને બને. એથી એનું તત્ત્વચિંતન અધ્યાત્મયોગનો અભ્યાસ બને. મિથ્યાદષ્ટિને આ લાભ નહિ.
અહીં એક વસ્તુ સમજવાની છે, - માત્ર શેય તરીકે માનવાની ચાવી :પ્ર0 - જીવ-અજીવને માત્ર શેય તરીકે શું મિથ્યાદષ્ટિ ન વિચારી શકે? ઉ૦ - ના, કેમકે મિથ્યાદષ્ટિ જીવ એકાંતવાદી છે. એટલે એ જીવાજીવ પદાર્થમાં જેને નિત્ય માનશે એને એકાંતે નિત્ય; અને જેને અનિત્ય માનશે એને એકાંતે અનિત્ય માનવાનો. એટલે પછી સારા લાગતા નિત્ય પદાર્થ ઉપર રાગ થવાનો, કેમકે એ નિત્ય છે, કાયમ છે, ત્યારે અનિત્ય માટે ભય રહેવાનો કેમકે એ અનિત્ય હોઈ જવાના છે. એટલે એ કેવી રીતે પદાર્થને માત્ર શેય તરીકે જોઈ શકે ?
અનેકાંતતા વસ્તુમાત્રમાં :ત્યારે સમ્યગ્દષ્ટિ આત્મા તો સર્વ કહેલ તત્ત્વ પર શ્રદ્ધાવાળો છે. અને સર્વજ્ઞ અનેકાંતવાદી છે, એટલે એ જીવ-અજીવ પદાથોને અનેકાંત ધર્મવાળા માને છે અર્થાત નિત્યાનિત્ય માને, મૂળ દ્રવ્યની દ્રષ્ટિએ નિત્ય અને એના પર ફરતા પલટાતા પર્યાયની અપેક્ષાએ ઉત્પન્ન ને નષ્ટ થવાવાળા માને છે.
નિત્ય મનાતું આકાશ પણ નિત્યનિય છે, અને અનિત્ય મનાતો દીવો પણ નિત્યાનિત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org