________________
| ધ્યાન અને જીવન સર્વજ્ઞ ભગવાને જે જીવો અને અજીવોનો બોધ આપ્યો છે એ એટલી બધી વિશાળ સંખ્યામાં છે કે એમાં મારી સામે આવતા વિષયો તો વિસાતમાં નથી. તો આના પર શા રાગ દ્વેષ કરવા જેવા છે ?'
જીવો પર રાગદ્વેષ અટકાવવા આમ વિચારાય :
દા.ત. “મને ગમતા વિષયોમાં જીવ તરીકે પત્ની પુત્ર પુત્રી કે સ્નેહી સંબંધીઓ યા જોવા મળતી અમુક ગણતરીની જ સ્ત્રીઓ વગેરે જ નજરમાં આવવાની. પરંતુ જ્ઞાનીએ ઓળખાવેલ જીવોમાં તો સ્વર્ગમાં અને મનુષ્યલોકમાં રૂપાળા કહ્યાગરા સેવાભાવી કેટલાય દેવ દેવીઓ અને નર-નારીઓ છે. એ મહાજૂથની આગળ મળેલી સંખ્યા સમુદ્રમાં એક ટીપા તુલ્ય છે; તો એમ તો રાગ કરવો હોય તો એ બધા કયાં ઓછા છે? પરંતુ કયાં હું એના પર રાગ કરવા જાઉં છું ? અગર એ કરવા જાઉં તો ય શું વળે ? જોવા ય મળવાના નથી. તો ભોગવવાની વાતે ય ક્યાં ? ત્યારે જો એવા મહા રમણીય અને કેટલાય બધાં રૂપાળા જીવો પર રાગ કર્યા વિના ચાલી શકે છે, તો પછી અહીં મળેલ નિર્માલ્ય અને અતિ અલ્પ જીવો પર રાગ ન કરું તો શો વાંધો આવે ? એ સંપર્કમાં આવ્યા તો ભલે આવ્યાં, મારે તો માત્ર જોવાના; પણ એના પર રાગથી ઓવારી જવાનું નહિ.”
‘એવી રીતે અહીં સંપર્કમાં આવતા આણગમતા જીવો ઉપર દેષ થાય છે. પરંતુ સર્વજ્ઞ ભગવાને જે વિશાળ વિશ્વ બતાવ્યું, એમાં જીવોમાં પરમાધામી સુધીના કેટલાય અસંખ્ય ખરાબ જીવો છે. એમના પર કયાં હું શ્વેષ કરવા જાઉં છું? અને નથી કરતો તો ય જીવને તો ચાલે જ છે. પછી અહીં મળેલા અણગમતા તો કાંઈ આવા પરમાધામી જેવા દુષ્ટ નથી, તેમ એવી કોઈ મોટી સંખ્યામાં નથી, પછી એના પર દ્વેષ ન કરું તો એમાં મારું શું બગડે ? કોઈ જ નહિ. મારે તો એ સંપર્કમાં આવ્યા તો માત્ર જોવાના, કેષથી ઊકળવાનું નહિ.
‘આમ, અહીં મને ગમતા કે આણગમતા અલ્પસંખ્યક જીવો તો ભગવાને બતાવેલ રુડા-કૂડા જીવોની સંખ્યા અને રુડી-કૂડી ખાસિયત આગળ વિસાતમાં નથી; તો જેમ એ શેય એટલે કે માત્ર જાણવા યોગ્ય, એમ આ પણ જોય એટલે કે માત્ર જાણવા યોગ્ય, કિન્તુ રાગ-દ્વેષ કરવા યોગ્ય નહિ.'
શેય તત્વ તરીકે અજીવ પર રાગદ્વેષ કેમ અટકે ? :
- એવું આપણા સંપર્કમાં આવતી ગમતી-અણગમતી અજીવ વસ્તુ માટે ય આમ વિચારવાનું, કે
એ મને પ્રાપ્ત જડ ચીજો પણ ભગવાને બતાવેલ વિશ્વની સારી-નરસી અજીવ વસ્તુ આગળ વિસાતમાં નથી; સંખ્યામાં ય નહીં અને ગુણવત્તામાં ય વિસાતમાં નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org