SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગ તત્ત્વચિંતન પર વારંવાર ઘણા વરસતી રહે. એથી પણ બહુ અભ્યાસે એ નિસ્સાર વિષયોનું આકર્ષણ ઉડી જવાથી મન એમાં જતું હવે સહેજે અટકવાનું. ત્યારે આપણે ફરિયાદ કરતા હોઈએ કે ધર્મક્રિયામાં મને કેમ સ્થિર નથી રહેતું? કેમ બીજા વિચારો આવી જાય છે ?' તો પહેલાં તો એ જોવું જોઈએ કે એ બીજા વિચારો શાના આવે છે ? આધ્યાત્મિક વસ્તુના ? કે ભૌતિક વાતવસ્તુના ? કહેવું જ પડશે કે ભૌતિકના વિચારો ઘુસી જાય છે. આત્માના આત્મહિતના વિચારો ક્યાં સસ્તા પડ્યા છે ? ક્યાં રીઢા પડ્યા છે કે એ જલ્દી અને બહુ આવ્યા કરે ? એટલે હવે સવાલ આ આવ્યો કે આ ભૌતિક વિચારો કેમ અટકે ? કેમકે એ જ્યાં સુધી અટકે નહિ ત્યાં સુધી ધર્મ કિયા શું, કે જાપ શું, કે ધ્યાન શું, એમાં મન સ્થિર પકડાયેલું રહી શકે નહિ. એ તો પેલા જ વિચાર એમાં ઘુસી જવાના, ઉભરાઈ આવવાના. તો શી રીતે અટકે ? બસ, એનો આ જ ઉપાય કે મનને શાસ્ત્રોની બહુ બહુ આધ્યાત્મિક તાત્વિક વાતોમાં રસપૂર્વક પરોવાયેલું રાખો તો એમાં ને એમાં બહુ રમ્યા રહેવાથી પેલા ભૌતિક અને નિસ્સાર વિષયો પર ઘાણા થતી રહેશે, અને એના વિચારો બહુ નહિ ઉભરાય. આના બહુ અભ્યાસથી એ ભાર મન પરથી ઊતરી જતાં મનને આધ્યાત્મિક ને તાત્વિક વિષયોનું મમત્વ જાગશે, મમત્વ વધશે; પછી એ સ્થિતિએ પહોંચાશે કે મન એમાંના એક પદ કે એક તાત્વિક પદાર્થ પર અમુક સમય પડાયેલું રહી શકશે. મન પદ પર પકડાય એ જાપ; ને વિષય પર પકડાય એ ધ્યાન. એટલા જ માટે યોગબિન્દુ શાસ્ત્રમાં જીવાજીવાદિ તત્વના ચિંતન પર જ અધ્યાત્મયોગ વગેરે પાંચ યોગ બતાવ્યા, એમાં પહેલો અધ્યાત્મ યોગ કહ્યો, બીજો ‘ભાવના” યોગ બતાવ્યો. અધ્યાત્મયોગ ‘અધ્યાત્મ'-યોગ એટલે (૧) વ્રત યુકત અને (૨) મૈત્રી આદિ ભાવવાળા ચિત્તનું (૩) જીવ-અજવાદિ તત્વનું ચિંતન. આમાં ૩ વાત આવી. ત્યારે જો આમાં શ્રાવકના પણ ‘સ્થૂલ અહિંસા આદિ વ્રત ન હોય તો ? તો શું ? ત્યાં શુદ્ધ અધ્યાત્મયોગ નહિ, પણ બીજી બે વાત હોય તો અધ્યાત્મનો અભ્યાસ ગણાય. વ્રત વિનાના સમ્યગ્દષ્ટિને આ અભ્યાસરૂપ અધ્યાત્મ હોય. તો પૂછો, મિથ્યાદૃષ્ટિને અધ્યાત્મનો અભ્યાસ નહિ ? પ્ર0- કોઈક મિથ્યાદષ્ટિને ય મૈત્રી આદિ ભાવ તો હોઈ શકે, ને સાથે તત્વચિંતન હોય, તો પછી એને અધ્યાત્મનો અભ્યાસ કેમ નહિ ? ઉ0. એનું કારણ સ્પષ્ટ છે. મિથ્યાદષ્ટિ પાસે સર્વજ્ઞ ભગવાને કહેલા યથાર્થ જીવઅજીવ આદિ તત્વ ક્યાં છે ? એ જીવને જાણે અજીવને જાણે એ તો અસર્વજ્ઞ કહેલ મિથ્થારૂપે અને એકાંતરૂપે જાણે. પછી એનું તત્વચિંતન જ અયથાર્થ હોય. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy