SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન મનને શુભમાં વધુ પકડી રાખનાર કોણ? સ્વાધ્યાય. મન પવનથી ય અધિક વેગવાળું છે. એ સમયમાં ક્યાં ક્યાંય પહોંચી જાય. એવા અતિશય ચંચળ મનને સમયે સમય શુભમાં બરાબર પકડી રાખનાર ન હોય તો એને અશુભમાં દોડી જતાં વાર કેટલી ? ત્યારે એવું એને કોણ પકડી રાખે ? આવશ્યકાદિ ક્રિયા તો અમુક જ કાળપૂરતી ચાલે. એટલે જ એ બરાબર લક્ષ પૂર્વક થાય તો એટલો કાળ એ એમાં પકડાયું રહે. પરંતુ બાકી મોટા ભાગનો સમય મનને પકડી રાખનાર કોણ ? ત્યાં શાસ્ત્રસ્વાધ્યાય ઉપયોગી થાય. મન એમાં બરાબર પકડાયું રહે. ૧૦ : અધ્યાત્મયોગ ઃ તત્વચિંતન મન જાપમાં કેમ સ્થિર નહિ ? : મન વિવિધતાનું રંગી પ્ર0- જાપ કે ધ્યાનમાં મન પકડાયેલું ન રહે ? તે સ્વાધ્યાય જ મનને પકડી રાખે? ઉ૦- મન લાંબો કાળ જાપમાં પકડાવું મુશ્કેલ છે, કેમકે અનંતકાળથી મન વિવિધતાઓમાં રમવા ટેવાયેલું છે, એને જાપમાં વિવિધતા ન મળે. જુઓ છો ને કે નવરા બેઠા મન જ્યારે વિચારમાં ચડે છે ત્યારે એક ચીજ પરથી બીજી પર અને બીજી પરથી ત્રીજી પર એ કેવું ફરતું જાય છે? માણસ વાતો કરવા બેસે ત્યારે ભલેને એક અગત્યનો માનેલો મુદ્દો કાઢી વાત શરૂ કરે, પરંતુ પછીથી વાતચીતના મુદ્દા કેવા ફરતા જાય છે ? શાથી આમ ? મનને વિવિધતા જોઈએ છે. તેથી વિચારમાં મુદ્દા ફરતા રહે છે એટલે એ વાતચીતમાં ઊતારે છે. મનનો આ જાણે સ્વભાવ પડી ગયો છે કે એક વાત પર સ્થિર પકડાયેલું રહે નહિ. એને વિચારતા રહેવા વિવિધ મુદ્દા જોઈએ છે. હવે એને કોઈ એક જ પદના જાપમાં કે એક જ વિષયના ધ્યાનમાં શી રીતે સ્થિર પકડાયેલું રાખી શકવાના ? એ તો વિવિધ વિષયો વિચારવાના હોય, તો મન એમાં પકડાયેલું રહે, મોટા યોગી પુરુષોની વાત કરતા નહિ કે એમને કેમ એક જ વસ્તુના ધ્યાનમાં મન સ્થિર રહે છે ?' એ સ્થિતિએ પહોંચવા માટે એમણે પહેલાં શાસ્ત્રની વિવિધ વાતોમાં મનને પકડી રાખવાનો બહુ અભ્યાસ કર્યો છે. ત્યારે આપણે હજી પ્રારંભિક અભ્યાસ અવસ્થામાં છીએ. માટે સ્વાધ્યાયની વિવિધ વસ્તુમાં મનને પકડી રાખવાનું. મનને પકડાયું રાખવા બે ઉપાય : (૧) એટલે પહેલાં શાસ્ત્રની વિવિધ વાતોમાં મનને કલાકો, દિવસો, મહિના, અને વર્ષો સુધી પકડી રાખવાનું કરીએ, તે પણ બહુ આદર-બહુમાન-પ્રીતિ સાથે, ત્યારે મન બાહ્ય વિષયોથી સારી રીતે આવું ને આવું રહે. એટલું જ નહિ પણ અધ્યાત્મની અને તત્ત્વની શાસ્ત્રોની વાતો મનમાં ખૂબ પળાવ્યા કરવાથી બાહ્ય ભૌતિક વિષયો નિસ્સાર લાગ્યા કરે અને એથી એ વિષયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy