________________
સુબુદ્ધિનો ઉપદેશ
૮૫
ત્યાગ કેળવતા રહેવું. દા.ત. વિવિધ ખાનપાન પર રાગ-તિનો રોગ મહાલે છે, તો એ ખાનપાનની વસ્તુ પર કાપ મૂકતા ચાલવું, અને જે ભોગવાય એના પર પણ વૈરાગ્ય વધારવો.
પુણ્યના ઉદયે ધર્મ ? કે પુણ્ય ખૂટયે ધર્મ ? :
મહાબળ રાજાને ચોંટ લાગી ગઈ, ‘હેં ! માત્ર એક માસ જ જીવવાનું! પછી ઉપડી જવાનું ?' એણે તરત મંત્રીને કહ્યું કે ‘ તો હવે આપણે હમણાં જ સર્વ પાપનો ત્યાગ કરી એકલું આત્મહિત સાધવામાં લાગી જવું છે.
મંત્રી કહે ‘એ માટે તો ચારિત્ર ધર્મ સાધુધર્મ જ લેવો પડે.’ રાજા કહે છે ‘તો ભલે મારે ચારિત્રધર્મ લઈ લેવો છે !'
આ ક્યારે સુયું ? પુણ્ય ખૂટવા આવ્યું ત્યારે. કેવી ખૂબી છે ? તમો કહો છે ‘પુણ્યનો ઉદય હોય તો ધર્મ સૂઝે' પણ શું એ સાચું કહો છો ? પુણ્ય તો ઘણું ઉદયમાં છે. પરંતુ એના પ્રમાણમાં ધર્મસાધના ક્યાં છે ? ઉલટું ધર્મને બદલે એના ભોગવટાના પાપમાં મહાલો છો. રાજાને એવું જ હતું. પરંતુ જ્યાં જાણ્યું કે હવે માનવ આયુષ્યનું મહાન પુણ્ય ખૂટવા આવ્યું, ત્યાં ચોંટ લાગી અને ચારિત્રધર્મ સાધવાનો તરત નિર્ણય કરી લીધો. તમને ય જો કોઈ દેવ કહે ‘આ હવે તમે સાત દિવસના મહેમાન છો,’ તો એ પુણ્ય ખૂટવા આવ્યું કહેવાય. ત્યાં તમને ચાનક લાગી જવા સંભવ ખરો ને કે ‘હેં ? આમ છે તો લાવ હવે ધર્મમાં જ બેસી જઉં ?' પરંતુ ત્યાં ય જો ગાઢ વિષયાસક્તિ હોય, તો ધર્મ સૂઝવો મુશ્કેલ. આજે દેશ કાળની વિકટતા બતાવી રહી છે કે તમારે કેટલીય વાતનાં પુણ્ય ખૂટવા આવ્યાં છે છતાં ધર્મ ક્યાં સૂઝે છે ? કેમ નહિ ? વિષયોની ગાઢ આસક્તિ છે માટે.
રાજાને ચારિત્ર અને અનશન
રાજાને ધર્મ સૂઝ્યો, મંત્રીને કહે છે, - ‘જુઓ ત્યારે, હવે મારે આ રાજ્યપાટ વગેરે સંસારનો ત્યાગ કરી ચારિત્ર લેવું છે.’ મંત્રીને આનંદ થયો. બસ, આઠ દિવસ જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ અને ભરપૂર દાન કરી ચારિત્ર લીધું, અને ‘હવે ૨૨ દિવસ માટે શું ખાવું પીવું હતું ?’ એમ વિચારી ચારિત્ર લીધા બરાબર જીવનભરનું અનશન સ્વીકારી લીધું.
એકલા અનશનથી ન પતે ઃ
અનશન લઈને પણ બીજું કરવાનું શું ? શાસ્ત્ર શ્રવણ, સ્વાધ્યાય. મનને જો એમાં ન લગાડે તો મન ખાલી તો બેસી રહે નહિ, એટલે પેલી જીવનભર અને ભવોભવ અભ્યાસ કરેલી મેલી લાગણીઓ અને પાપવિચારોમાં મન અટવાતાં વાર ન લાગે. માટે તો શાસ્ત્ર કહે છે કે ‘સ્વાધ્યાયાદિ વ્યાપાર વિનાના ઉપવાસની કશી કિંમત નહિ; કેમકે મનને પ્રત્યેક સમય શુભમાં પકડી રાખનાર કોણ ?’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org