________________
(૮૪)
ધ્યાન અને જીવન નાસ્તિક મંત્રીઓ હવે શું બોલે ? એમની પાસે હવે દલીલ રહી નથી એટલે કહે છે, “મંત્રીશ્વર ! ભલે તમારું સાચું હશે. પરંતુ હમણાં ને હમણાં જ આત્મહિતની ઉતાવળ ? હજી મહારાજાને કઈ ઉમર વહી ગઈ છે ? - રાજાને સુબુદ્ધિ મંત્રી કહે, “આયુષ્યનો ભરોસો છે ? જુઓ, હું બહાર ગયેલો એમાં વચમાં મહાજ્ઞાની ભગવંત મળ્યા. એમણે મારા પૂછવા પર મને કહ્યું છે તે આપને કહેતાં મારાથી અવિનય થતો હોય તો માફ કરજો, પરંતુ આપને ઠેઠ સુધી અંધારામાં રાખી ખોટા વિશ્વાસના ભોગ ન બનવા દેવા, એ હેતુથી આપને હું કહું છું. મને જ્ઞાની ભગવંતે કહ્યું કે,
તમારા રાજાનું હવે માત્ર એક જ મહિનાનું આયુષ્ય બાકી છે.'
હવે આપ વિચારી જુઓ કે જો આ સાચું પડ્યું તો તો આ હિતૈષીઓ જેની દલાલી કરે છે એ આ માની લીધેલી હજી બહુ ઉમર ક્યાં ઊભી રહેવાની ? તેમજ રાજ્યવૈભવ અને ભોગો અંતકાળે છૂટા પડતા દેખાશે ત્યારે એ આપને શી શાંતિ આપી શકશે? વળી એ પરલોકમાં કઈ હુંફ કઈ ઓથ આપી શકવાના? ત્યારે પરલોકના હિતની હજી પણ અહીં કશી સાધના કમાઈ ન લીધી તો પરલોક કેવો જોવા મળશે?
બિમારીમાં ય ધર્મ સુઝાડનાર સગાં કેટલાં ?
સુબુદ્ધિમંત્રી કેટલું નક્કર કહી રહ્યો છે ! કલ્યાણમિત્ર વિના આ કોણ સુઝાડે ? આજે જુઓ છો ને કે કોઈને ટી.બી. કેન્સર જેવા રોગ જાલિમ વધી ગયા હોય, ને હવે એ લાંબુ જીવે એમ લાગતું ન હોય, છતાં કયાં સગાં એને આત્માનું હિત સૂઝાડે છે ? ઠેઠ સુધી દવા-અનુપાન-આરામનું સૂઝાડ્યા કરશે, પરંતુ એની અંતકાળની સમાધિ અને પરલોકની હિતસાધનાનો વિચાર કોણ કરાવે છે ?
ત્યારે માણસને પોતાને એ વિચાર ક્યાં છે કે, મારે અંતકાળ કેવો લાવવો છે ? દુઃખની પોકનો ? કે શાંતિ-સમાધિસ્વસ્થતાનો? જો શાંતિનો લાવવો હોય તો એ માટે તૈયારી કેવી જોઈએ? હૈયા પરથી મેલી લાગણીઓ અને પાપવિચારના ભાર કેટલા બધા ઓછા કરી દેવા જોઈએ ? ઠેઠ સુધી એ ભારને ઊંચકયે રાખ્યા પછી અંતકાળે એ જ પીડવાના? કે શાંતિ સમાધિ અલિપ્તતા આવવાની ?
જો અંતકાળ સુખદ લાવવાનો વિચાર નહિ તો પરલોક સુખમય બનાવવાનો વિચાર જ શાનો આવે ?
અંતકાળ સારો સમાધિમય લાવવા માટે અને પરલોક સુખદ સરજવા માટે આ જ એક ઉપાય છે કે રાગ દ્વેષાદિની અને હર્ષ-ખેદ વગેરેની મેલી લાગણીઓ તથા પાપવિચારોને ઓછા કરતા ચાલવું. બને તેટલું એને દબાવતા રહેવું. પછી એ માટે એ રોગો જેનાથી પોષાતા હોય, જેના પર એ રોગો સરવરતા રહેતા હોય, એનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org