SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સુબુદ્ધિનો ઉપદેશ ( ૮૩ કેવળજ્ઞાન શાના પર મળ્યું ? એ સમજ પર કે ભોગમાં સુખ ખરેખર નથી; હોત તો હંમેશા એ સુખ દેખાડત. સુખ તો ઈન્દ્રિયખણજને શાંત કરવા માટે કરવામાં આવતા વિષયસંપર્ક પર લાગે છે, ને તે પણ ખગજ શાંત થાય ત્યાં સુધી જ સુખ લાગે; પછી નહિ.” પેલો સુબુદ્ધિ મંત્રી બીજા મંત્રીઓને કહે છે મહાનુભાવો ! આમ ભોગવિલાસમાં ય સુખ નથી અને વૈભવસમૃદ્ધિમાં પણ કશું સુખ નથી. ભોગવિલાસમાં ચળનો પ્રતિકાર છે, અને વૈભવ સમૃદ્ધિમાં અભિમાન છે, એ જ સુખનો આભાસ માત્ર કરાવે છે. સમજુને એમાં મિઠાશ શી ? વૈભવ મીઠા શા ? એને તો એ ખાગજ અને અભિમાનના રોગની વિટંબણા ખટકતી હોય. રાગાદિમાં આત્માની વિટંબણા છે, માટે એ રોગ છે :સુબુદ્ધિ મંત્રી મહાબળ રાજાને કહે છે, મહારાજા ! ભળતી વાતોમાં મુંઝાશો નહિ, મુખ્ય જે આપણો આત્મા, એના જ સાચા હિતની ચિંતા કરો. એ આત્મા જે અનેક પ્રકારની રાગ-દ્વેષ, હર્ષ ખેદ, વૈભવાસક્તિ-ભોગલુબ્ધતા વગેરે વગેરે મેલી લાગણીઓ અને એની પાછળ ચાલતા પાપવિચારોથી વિડંબાઈ રહ્યો છે, એ બધા.એના ભયંકર રોગો છે. એનાં પરિણામ આત્માને પરલોકમાં તો દુઃખદ અનુભવવાં પડે જ છે, પરંતુ અહીં પણ એ જીવને જપવા દેતા નથી. વૈભવનાં સુખ તો વૈભવના નહિ, પણ મિથ્યા અભિમાનના ઘરના છે. એમ, ભોગનાં પણ સુખ ભોગના નહિ પરંતુ દુઃખદ ચળને ખણવાના અને ક્ષણિક પ્રતિકાર કરવાના ઘરનાં છે. માટે એવા સુખ મિથ્યા છે. એ મનનાં અભિમાન અને ઈન્દ્રિયોની ચળનો રોગ પાછો એવો છે કે એ વૈભવ અને ભોગોથી જાલિમ વધે છે. એ ક્ષેત્રરોગ જેવા છે. એમાં બીજા રાગ-દ્વેષ ચિંતા-સંતાપ વગેરે રોગો પાકે છે, તથા પાપવિચારો રૂપી બીજા અનેક અવાંતર રોગો પાકે છે; અને એ આભાસસુખને તો ક્ષણિક ક્ષણમાં ઊડે એવા કરી દે છે. બાકી તો એ રોગો દિલને કોચી કોચીને પીડે છે, સતાવે છે. ત્યારે એમ મેલી લાગણીઓ અને પાપવિચારો સતાવ્યા કરતા હોય ત્યાં ભવૈભવ અને ભરચક ભોગોથી પણ સુખ શું ? શાંતિ સ્વસ્થતા નિરાંત ક્યાં ? આ આપના હિતૈષીઓ પોતાની જાત માટે પણ જો આ રોગોની વિટંબણાનો વિચાર નથી કરી શકતા, તો આપના માટે તો શું ય કરી શકે ? માટે આપ એમના અજ્ઞાનતાભર્યા ઉગારોથી મુંઝાશો નહિ, આપ આપના અંદરના પરલોકગામી આત્માનો વિચાર કરો, હવે એનું જ હિત વિચારો. હવે પર લોકહિતની ચિંતા રાખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy