________________
( ૮૨
ધ્યાન અને જીવન
સુખ લેવાની ખણજ હતી. બસ, આ ખણજ ઉતારવા નમંડળીમાં દાખલ થયો, નટના ખેલ શીખ્યો. સારા કુળમાં જનમવા હિસાબે કુદરતી પુણ્યોદયે બુદ્ધિ-શક્તિ સારી, તેથી નટવિદ્યામાં નિષ્ણાત થયો. ગામે ગામ ખેલ બતાવી પૈસા ભેગા કરે છે, પરંતુ સામાન્ય માણસોની ભેટમાં શું વળે ? એટલે હવે એક નગરમાં રાજાને ખેલ બતાવી મોટા ઈનામની આશા રાખે છે.
સંદિગ્ધ સુખાભાસ પાછળ વેઠ, કિંતુ નિશ્ચિત સુખ પાછળ નહિ દુર્દશા -
ભોગનું માનેલું સુખ તો મળશે ત્યારે મળશે, કદાચ ન ય મળે, પરંતુ અત્યારે વેઠ કેટલી ? સંદિગ્ધ સુખાભાસ ખાતર કેટલીય વેઠ ઉઠાવવા જીવ તૈયાર ! ત્યારે નિશ્ચિત મોક્ષ સુખ માટે ધર્મકષ્ટ સહવામાં અખાડા કરવા છે આ કેવી મોહ મૂઢ દશા! કેવી દુર્દશા ! ઈલાચીપુત્ર ખેલ કરીને રાજાની આગળ ઈનામ માગે છે. પણ રાજાની દાનત ઈલાચીપુત્ર નાચતો પડીને મરે અને નટડી હાથ કરું’ એવી છે. તો એ શાનો દાન આપે ? એણે તો બહાનાં કાઢી ફરી ફરીને ઈલાચીપુત્રને નાચવા ચડાવ્યો.
અહીં હવે ઈલાચીપુત્રનો ઉદય થાય છે. શાના પર ? 'ભોગમાં ખરેખર સુખ નથી, પણ ચળનો પ્રતિકાર છેએ સમજવા પર. આ સમજવાનું કારણ ઊંચે દોરડા પરથી એણે એક મકાનમાં રૂપાળી પદ્મિની સ્ત્રી લાડું ધરીને ‘લ્યો લ્યો કહે છે, ને મુનિ લેતા નથી. મુનિને વિશિષ્ટ અભિગ્રહ હશે તે એના પર વિચારતા નહિ લેતા હોય; એ તો બને. પણ વિશેષ એ છે કે એ નીચી મૂંડીએ ઊભા છે; પદ્મિની જેવી રમણીના સામે જોવા તૈયાર નથી.
ઈલાચીપુત્રને કઈ ભાવના પર કેવળજ્ઞાન ? :
ત્યાં ઈલાચીપુત્ર વિચારમાં ચડે છે. એના મનને થાય છે કે અરે ! હું ય માનવી, ને આ ય માનવી. આમને સામે કેવી રૂપ રૂપનો અંબાર પદ્મિાણી સ્ત્રી છે ! જોવી હોય તો કોણ રોકે એમ છે ? એવી સ્ત્રીની તુલનામાં આ નટડી તો કુછ નહિ, છતાં હું મૂરખ એના જ ચિંતનમાં પડ્યો છું ? કેમ મુનિમાં ને મારામાં આટલો બધો ફરક? એટલા માટે જ કે મુનિએ રૂપદર્શન વગેરે ભોગમાં સુખ જરાય દેખ્યું નહિ, જ્યારે હું એમાં સુખ માની રહ્યો છું. ખરી રીતે તો મુનિમાં ઈંદ્રિયની જરાય ખણજ નથી, વિકાર નથી, ને હું ખાગજવાળો બન્યો છું, એટલે જ એને પોષવા વલખા મારું છું. મારામાં વિષયભોગની લાલસાનો વિકાર ઊહ્યો છે. એના પર ઈષ્ટ વિષયના સંપર્ક શોધું છું જેથી એ વિકાર શાંત પડે, અને સુખનો ભાસ થાય. પરંતુ આ ખોટું છે. ચિત્તના વિકારનો રોગ છે ત્યાં સુધી વિષયોની ગુલામી રહેવાની. માટે એ રોગને જ દબાવું. મારે ને એ વિષયો અંગેની ઇંદ્રિયોની ચળને શું લાગે-વળગે ?. “બસ, ભાવનામાં ચઢતાં ઈલાચીપુત્ર ધર્મધ્યાન અને પછી શુક્લધ્યાનમાં ચડી ગયા. ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org