SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૧ સુબુદ્ધિનો ઉપદેશ ખરજવું ખણવામાં જેવું સુખ : એમ ખરજવાની ચળ ઉપડી, તો જીવ એને ખણીને સુખ માને છે. શું ખાણવામાં સુખ છે ? ના, માત્ર ખાણવામાં સુખ જ હોત તો તો વગર ખરજવે સાજા સારા શરીરે પાણી પાણી ને સુખ લાગવું જોઈએ, કિંતુ નથી. એટલે ખાણવામાં સુખ નથી. એ હકીકત છે. પ્ર૦- તો પછી ખરજવું ખાણતાં અનુભવમાં તો સુખ લાગે છે તેનું કેમ? ઉ૦- ત્યાં કહેવું પડે કે એ પેલી ચળનું દુઃખ ઉપડ્યું ને એના પ્રતિકારરૂપે ખયું એટલે સુખ લાગ્યું. ખરી રીતે તો એ દુઃખ ક્ષણવાર ટળ્યું એમાં સુખનો આભાસમાત્ર થયો, પણ ખરેખર સુખ નહિ. નહિતર તો જ્યારે જ્યારે ખણે ત્યારે ત્યારે સુખ લાગવું જોઈએ. પરંતુ એ સ્થિતિ છે નહિ. તેથી સુખ ખણવાના ઘરનું નથી. બસ, ભોગવિલાસમાં આવું જ છે. એમાં ખાવાની જેમ ખરેખર સુખ નથી. કિન્તુ ભોગની પહેલાં ઈન્દ્રિયોમાં જે ચળ ઉપડે છે, ચળનું આતુરતાનું દુઃખ જાગે છે, એ આ ભોગથી ક્ષણ વાર શાંત પડે છે, ને એમાં જીવને સુખનો આભાસમાત્ર થાય છે. ખરજવાની ચળ વિના જેમ ખાણવામાં સુખ નહિ, એમ ઇંદ્રિયોની ચળ વિના તો ગમે તેવાં ભોગસાધનોનો સંયોગ થાય તોય સુખ નહિ લાગે. પકવાન જમવા બેઠા ત્યારે જીભ પર ચળ ઉપડી હતી તેથી પકવાનના સંયોગે સુખ લાગ્યું, પરંતુ પેટપૂર કે તેથી થોડું વધુ પાણ ખાઈ લીધા પછી જ્યાં જીભની ચળ જીભની રુચિ મટી ગઈ, પછી એ જ પકવાન જીભે અડાડો ને, કશું સુખ નહિ લાગે. કેમ નહિ? પકવાન કે પકવાનના ભોગમાં ખરેખર સુખ છે જ નહિ, એ તો ચળ હોય તો જ એ ચળનું દુઃખ ઉતારવામાં સુખ લાગે. એટલે દુઃખનો પ્રતિકાર એ જ સુખ. ઈલાચીપુત્ર સુખાભાસ પાછળ : ઈલાચીપુત્રે નટ બની દોરડા પર ખેલ કરતાં એક મકાનમાં ચોકમાં મુનિની ચર્ચા જોઈ આ વિચાર્યું. પોતે નટડી પાછળ ઘેલો બનેલો ! માબાપે સારી શ્રીમંત ઘરની ખાનદાન કન્યા પરણાવી આપવા કહ્યું. પરંતુ આને જે આ હલકા કુળની નટડી જ પરણવા ચળ ઉપડેલી તે બીજી રીતે ક્યાંથી શાંત થાય ? અને નટડી કન્યાનો બાપ કેવો મળ્યો ? હજારો રૂપિયાથી લલચાય એવો નહિ; એમ ગમે તેટલા રૂપિયા લઈ કન્યા વેચવા તૈયાર નહિ. એ તો ઉમેદવાર નટમંડળીમાં દાખલ થાય, નટના ખેલ ખેલી સારી રકમ કમાય, અને એ કમાણીથી આખી નાત જમાડવી વગેરે લગ્નવિધિ સાચવે, તો જ પોતાની કન્યા પરણાવવી, એ જાતની શરત હતી. વિષયની ચળ શું કરાવે - ત્યારે ઈલાચીપુત્રની ઈષ્ટ વિષયની ચળ કેવી હતી ? આવી કપરી અને જાતને હલકાઈમાં ઊતારનારી શરત પાળીને પાણ એને નટ-કન્યા પરણવાની અને એનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy