SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ८० ધ્યાન અને જીવન સંતાપનું કારણ ઊભું થાય, ત્યાં એ ગર્વ-હુકું-તોષ પલાયન થઈ જાય છે, અને છતે વૈભવે દિલ દુખિયારું બને છે. વૈભવનું પોતાનું સુખ હોત યા વૈભવના સંયોગથી જીવમાં સુખ ગણાતું જ હોત તો એ છતે વૈભવે કાયમ જ રહેત ને ? પણ ના એ તો અભિમાનના અને હુંફના ઘરનું હતું, તેથી જ એ ઊડતાં સુખ ઊઠ્યું. વૈભવ એનો એ છતાં સુખ નહિ : ખૂબી કેવી છે કે એક માણસ પાસે ધારો કે દસ હજાર રૂપિયા છે, એમાં એને વેપારમાં દસના વીસ હજાર થયા, તો ભારે સુખ લાગે છે. પછી વીસના ત્રીસ હજાર થાય, તો વળી સુખનો પાર નથી રહેતો. પરંતુ હવે જો કોઈ ખોટ કે ચોરી થવાથી ત્રીસના પાછા વીસ હજાર થઈ જાય તો જોઈ લો એની દશા ! આ વીસ હજારનો વૈભવ તો એ જ છે કે જે પૂર્વે ભારે સુખ લગાડતો હતો; છતાં એ જ વૈભવ હયાત છતાં અત્યારે કેમ મહાદુ:ખ લાગે છે ? કહો ભારે સુખ વૈભવનું હતું જ નહિ, કિન્તુ ‘હું દસના વીસ હજારવાળો બન્યો' એવા અભિમાનના ઘરનું હતું. તે અત્યારે તો હાય ! મારા ત્રીસમાંથી દસ હજાર ઊડ્યા એ દીનતાથી પેલું અભિમાન રવાના થયું એટલે એનું સુખ ગયું, અને દીનતાનું દુઃખ આવ્યું, હવે અહીં માણસ જો જરા શાણો હોય અને વિચારે કે ‘ ભલે ૧૦ હજાર ગયા, પરંતુ ૨૦ હજાર તો પાસે છે. પહેલાં તો દશ ઉપર કશું દેખવાનું જ ક્યાં હતું ? ત્યારે અત્યારે હજી વીસ હજારવાળો તો હું છું જ, શી ફિકર છે ?’ આમ ધરપત રાખી સુખ માને, કિન્તુ તે ય સુખ રહ્યું તો અભિમાનનું જ. એટલે વાત આ છે કે વૈભવમાં કલ્પના ફેરવે તો સુખ, અને કલ્પના ફેરવે તો દુઃખ. વૈભવનું પોતાનું શું ? ત્યારે અહીં પૂછો, ' પ્ર૦- વૈભવનું સુખ નહિ તેમ દુઃખ પણ નહિ ને ? ઉ૦- ના, દુઃખ ખરું; કેમકે વૈભવ લાવતાં ય કષ્ટ પડે છે, સાચવતાં ય કષ્ટ પડે છે, ને ભોગવાઈ ઓછો થઈ જતાં ય દુ:ખ લાગે છે. કહે છે ને, પૈસા કમાવામાં દુઃખ, કમાયેલાના રક્ષણમાં દુઃખ, આવતાં દુઃખ અને ખરચતાં દુઃખ ! અનર્થના સ્થાનભૂત આવા પૈસાને ધિકકાર હો, આ તો વૈભવની વાત. ગઘેડાને ભાર ઓછો થતાં જેવું સુખ : ત્યારે હે ભાગ્યવાનો ! એ જુઓ કે જેમ વૈભવમાં ખરેખર સુખ નહિ, કિન્તુ એના પરના અસ્થિર અભિમાનના ઘરનું સુખ છે, એવી રીતે ભોગ-વિલાસમાં પણ વાસ્તવિક સુખ નથી પરંતુ ક્ષણિક દુઃખનિવૃત્તિમાં ચળ-નિવૃત્તિમાં સુખનો આભાસમાત્ર છે. કુંભાર ગધેડાના માથે બે મણ ભાર ચડાવી ઉપર ચડી બેસી આગળ જઈ એ નીચે ઉતરી જાય ત્યારે ગધેડાને એમ થાય છે કે ‘હાશ, હું સુખી થયો !' છે સુખ ? ના, હજી તો ભાર છે; પરંતુ થોડું દુઃખ નિવૃત્ત થયું એને સુખ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy