SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સુબુદ્ધિનો ઉપદેશ કેમ ? ત્યાં શરીર જાડા-પાતળા કે રૂપાળા કક્ષાનો કોઈ હિસાબ નથી કે જાડામાં ગુણો અને પાતળામાં અવગુણો જ હોય અથવા રૂપાળામાં ગુણ અને કદ્રુપમાં અવગુણો હોય. એક જ માબાપના બે દીકરામાં ગુણ-અવગુણોનો ફરક દેખાય છે, તે જીવ-વસ્તુને લઈને છે. પૂર્વ ભવેથી જુદા જુદા સંસ્કારના વારસા લઈને આવેલા એ જીવો, એટલે અહીં કોઈ ક્રોધી, તો કોઈ ક્ષમાશીલ, કોઈ જૂઠો, તો કોઈ સત્યવાદી... એમ એમનામાં જુદા જુદા ગુણ-અવગુણ જોવા મળે છે. (૫) એટલા જ માટે એક જ માબાપથી બે બે છોકરાઓના શરીર બનેલા છતાં એ બંનેમાં જુદી જુદી હોશિયારી, જુદી જુદી રુચિ, જુદી જુદી ટેવો, વગેરે ખાસિયતોમાં ફરક દેખાય છે. આ જીવ જુદા જુદા સંસ્કાર લઈને આવેલાના કારણે છે. (૬) એમ એ જીવનાં જ પૂર્વના શુભાશુભ કર્મનો હિસાબ છે કે અહીં એક ભાઈ જનમથી તગડો, ને બીજો ભાઈ જન્મથી માંદો; એકને શ્રીમંતાઈ, બીજાને મધ્યમ સ્થિતિ; એકને યશ, આદયતા - કોયલકંઠ, ત્યારે બીજા ભાઈને અપયશ - અનાદેયતા ભેંસાસૂર..આ બધો તફાવત શાના લીધે ? બંને એક જ મા બાપના સંતાન છે, પછી આટલા બધા તફાવતનું કારણ શું ? કહેવું જ પડે કે બંને સંતાન માત્ર શરીર રૂપ નથી પણ શરીરમાં રહેલા આત્મા છે, અને એ આત્મા પૂર્વ ભવેથી તેવાં તેવાં શુભાશુભ કર્મ લઈને અહીં આવ્યા છે. એનું તેવું તેવું ફળ ભોગવે છે. પરલોકમાં ઓથ શાના પર ? : અરે મહાનુભાવો ! જયારે નાશવંત શરીર નહી પાગ અવિનાશી આત્મા એ ખરી ચીજ છે, એ જ આપણે છીએ, તો પછી નાશવંત રાજ્યઋદ્ધિ અને ભોગવિલાસોનું મહત્વ આંકો છો? સનાતન આત્માને તો એના સંયોગ આયુષ્યના અંત સાથે નર્ટ થઈ જવાના છે. પછી આગળ આત્માને જવાનું છે. ત્યાં ક્યાં જવાનું ? કોની ઓથ? કઈ સલામતી ને કઈ સગવડ? જયારે પૂર્વનાં પુણ્યના હિસાબે જ આ બધી વૈભવ વિલાસની પ્રાપ્તિ છે, તો પછી જીવનનાં અંતે પુણ્યમૂડી ભોગવાઈ ખૂટી ગઈ, અહી કોઈ ત્યાગ-તપ-પરમાત્મધ્યાન આદિના સુકૃત વિના નવી પુણ્ય ભરતી નહિ. તો, આગળ માલ મળશે કે માર ? વૈભવમાં સુખ શાનું ? : ભાગ્યવાનો ! એટલું તો વિચારો કે અહીં મળેલા વૈભવ અને ભોગસુખોને મીઠાં કહો છો, પરંતુ એમાં મિઠાશ જેવું અહીં પાગ શું છે ? કેમકે, વૈભવ-સમૃદ્ધિનું સુખ જે મનાય છે તે તો માત્ર અભિમાનના ઘરનું છે. એટલે વસ્તુ ત્યા એનામાં કશો સુખ ગુણ નથી, જીવ મનમાં ગર્વ લે છે કે હું આવો વૈભવી માટે બહુ સુખી !” પરંતુ એ વૈભવ હયાત છતાં કોઈ વિશેષ અણગમતું બને, ચિતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy