________________
૭.
મહાબળ રાજા અને સુબુદ્ધિ મંત્રી
ઋષભદેવ ભગવાન ચોથા ભવમાં મહાબળ નામે રાજા હતા. એમનો શાણો સુબુદ્ધિ નામનો મંત્રી એમને એક વાર કહે કે ‘મહારાજ ! આ જીવન ક્ષણભંગુર છે, રાજ્યસંપત્તિ ચંચળ છે, ને ભોગસુખો દારુણ વિપાકવાળા છે. માટે હજી શરીરશક્તિ પહોંચે છે ત્યાં સુધી એના મોહ છોડી આત્મહિતની સાધના કરી લેવા જેવી છે કે જે ભવાંતરે ઓથ આપે.'
ધ્યાન અને જીવન
સુબુદ્ધિની આ સલાહ સાંભળી ત્યાં બેઠેલા રાજાના ચાર માખણિયા મંત્રીઓ કહે છે, - ‘મંત્રીશ્વર ! આ ઉંધું શું ભરમાવો છો ? તમને આ ભવ્ય રાજ્યવૈભવ અને આવા મીઠાં ભોગસુખો નથી મળ્યા એટલે ઈર્ષ્યા કરો છો ? તે મહારાજાને એથી વંચિત કરવા છે ? ‘આત્માનું હિત આત્માનું હિત' રટો છો, પણ આત્મા છે જ ક્યાં ?,
સુબુદ્ધિ મંત્રીએ કહ્યું ‘મહાનુભાવ ! શા સારું આવું બોલીને મહારાજાને ખોટું મીઠું લગાડી રહ્યા છો ? સાંભળો
આત્માની સાબિતિ :
કહો છો આત્મા જ નથી; પણ (૧) આત્મા જેવી સ્વતંત્ર ચીજ ન હોય તો તો કેટલાકને પૂર્વજન્મનાં સ્મરણ થઈ આવે છે, એ બને જ શી રીતે ? વળી
(૨) માણસ મરી ગયા પછી જો કોઈ સગું એને બોલાવ બોલાવ કરતું હોય તો લોકો કહે છે ‘ભાઈ ! રહેવા દો હવે બોલાવવાનું, જીવ તો ગયો, હવે તો આ ખોખું છે' આમ લોકો પણ સમજે છે કે શરીર એ તો ખોખું; ને એમાં રહેનારો જીવ આત્મા એ જુદી ચીજ, આત્મા ઉપડી ગયો. આત્મા એ સ્વતંત્ર વસ્તુ જ ન હોય તો આ વ્યવહાર કેમ બને ? વળી
(૩) જ્ઞાન, ઈચ્છા લાગણીઓ, સુખ-દુઃખ, વગેરે જે ગુણો અનુભવાય છે તે કાંઈ જડ માટીની કાયાના ગુણ નહિ; નહિતર તો મડદામાં કેમ એમાંનો એક પણ ન દેખાય ? ક્ષણ પહેલાં એક બળતી દિવાસળીની ઝાળ ન સહન કરે એ શરીર આખી ચેહમાં બળવાનું સહન કરે ? રાડ ન પાડી ઊઠે ? કહેવું જ પડે કે સહન ન કરનાર અને રાડ પાડી ઉઠનાર જીવ તો ચાલ્યો ગયો પરલોકમાં. બળતાં દુઃખ લાગવાનું તો એને શરીરને નહિ, પણ એ શરીરમાં કેદ પૂરાયેલ જુદા જીવને હતું, પણ એ હવે છે જ ક્યાં ?
(૪) વળી આત્મા જેવી વસ્તુ જ ન હોત તો બાળપણમાં જ વગર શીખવ્યુ પણ કોઈનામાં સારા ગુણો અને બીજામાં એથી ઉલટા અવગુણો શાના દેખાય ? એમ, શીખવ્યા છતાં ય કેટલાકમાં ગુણ નથી આવતા, ને બીજામાં આવે છે. એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org