________________
સ્વાધ્યાયમાં માનાકાંક્ષા ખતરનાક
૭૫
વિદ્યાપ્રાપ્તિનો ખ્યાલ આવી ગયો હશે. પત્યું, એમ સિંહનું રૂપ કરવામાં કાંઈ ખોટું કર્યું એવો તો ખ્યાલ જ શાનો આવે ? જો એ નહિ, તો પછી ગુરુ પાસે જઈ એની ક્ષમા કે પ્રાયશ્ચિત્ત માગવાની વાતે ય શી? છતાં એ તો મહાજ્ઞાની છે. પરંતુ આપણા જેવા જીવોને માટે મુશીબત આ ઉભી થાય છે કે હજી મોટી ભૂલોનું ગુરુ આગળ નિવેદન આલોચન કરાય, પણ નાની મનાતી ભૂલોનું નહિ ! એટલે પછી એનું પરિમાર્જન કરી ચારિત્રશુદ્ધિ કરવાની વાત ક્યાં ? અરે દર્શનશુદ્ધિ પણ ક્યાં, જે ભૂલ ને ભૂલ તરીકે આપણાથી સ્વીકારાતી નથી.
ત્યારે નાની ભૂલમાં જો આમ ભૂલ તરીકે ને હેય માનવાનું નહિ તો સમહત્વ ઘવાય.
રુકમીની નાની ભૂલે મહા અનર્થ - રુકમીએ રાજકુમાર સામે રાગની દષ્ટિ નાખેલી, એ ભૂલ નાની એ દ્રષ્ટિએ, કે જો એનું ગુરુ આગળ આલોચન કર્યું હોત તો નાના પ્રાયશ્ચિતે કામ પતી જાત. પરંતુ એણે ભૂલને છૂપાવી, એને મોટું ચારિત્ર લેવું સરળ બન્યું, અને કઠોર તપસ્યા કરવી સહેલી પડી, પણ આલોચન કઠિન પડ્યું. ઉલટું એ જ રાજકુમાર દીક્ષા લઈ ગુરૂ બનેલા, અને રુકમીએ એમની પાસે જ દીક્ષા લીધેલી. છતાં હવે ય એ એમની આગળ જ છૂપાવે છે. ત્યારે અંતે ગુરુએ યાદ કરાવ્યું તો રુમી સાધ્વી કહે છે. “ના. એ તો મેં તમારું પારખું કરવા દષ્ટિ નાખેલી.’ તો મૂળ નાની ભૂલ કેવા ભયંકર દોષમાં પરિણમી ? ચારિત્ર તો શું ? પણ સમ્યગ્દર્શને ય ઉડ્યું ! રુકમી એથી એક લાખ ભવ ભટકતી થઈ ગઈ !
નાની પણ ભૂલમાં ખોટું ન લાગે છે, અને ગુરુ આગળ ઈકરાર ન કરાય, એ ભયંકર છે. હેયમાં હેય બુદ્ધિ ન હોય, એમાં સફત્વ સ્પલના પામે છે.
ત્યારે એમ કહેવાય કે હજી મોટી ભૂલ ખોટી લાગી એનું આલોચન પ્રાયશ્ચિત થાય ત્યાં નુકસાનથી બચી જવાય, પરંતુ નાની ભૂલમાં એવું કાંઈ ન લાગે ત્યાં બચવું મુશ્કેલ છે. ચારિત્ર તો શું, પણ સમ્યગ્દર્શન શુદ્ધ રહેવું મોંઘું. માટે જ ખરી સાવધાની આ, કે નાની ભૂલ પર તો વિશેષ સાવધાની રહે, ગુરુ આગળ એનું આલોચન નિવેદન થાય, ક્ષમાં મંગાય પ્રાયશ્ચિત મંગાય.
સ્થૂલભદ્રસ્વામીની અલૌકિક મહાનતા :જુઓ, નાની ભૂલમાં ખોટાપણું ન લાગે ત્યાં સમ્યકત્વ ઘવાવાનો પ્રસંગ આપણી જાત માટે વિચારવાનો છે. બાકી સ્થૂલભદ્ર સ્વામી તો દશ પૂર્વ સુધી પહોંચી ગયા છે, અને દશપૂર્વી નિયમો સમ્યગ્દષ્ટિ હોય એ હિસાબે, તેમજ ચોરાશી ચોવીશી યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org