SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ધ્યાન અને જીવન જાણવાની શક્તિ, એ બધું હતું. પરંતુ આટલી સાદી સમજની વસ્તુ ખ્યાલમાં ન આવી એ પેલી માનાકાંક્ષાની મોહિનીનો પ્રભાવ છે. આપણે આવી અસર નીચે નથી ને ? શાસ્ત્ર ભણીએ, થોડી વિદ્વત્તા મળે, ત્યાં કોઈ માન નથી ચઢતું ને ? માનાકાંક્ષા નથી આવતી ને ? બીજા મારું ગૌરવ કરે એ ભાવ નથી આવતો ને ? એ માટે કશી પેરવી આપણે કરતા નથી ને ? ભૂલવા જેવું નથી કે એમાં જો તણાયા તો વસ્તુસ્થિતિ નહિ દેખાય અને અસત્ની કલ્પના થશે. માનનો માનાકાંક્ષાનો આવેશ જ દારૂના નશા જેવો છે. દારૂડિયો છતાં ઉઘાન તરફ નજર ન નાખે, ને ગટરમાં ઉદ્યાન દેખે. આપણે માનમાં ને માનની ભૂખમાં તણાયા કેટલુંય ખરેખરું જોવાનું ભૂલીએ છીએ અને હવાઈ કિલ્લામાં રાચીએ છીએ. ત્યાં પછી સારામાં સારો શાસ્ત્રબોધ કે શાસ્ત્ર સ્વાધ્યાયની મહેનત પણ ગરીબડી બની જાય છે, એનું કાંઈ ચાલતું નથી, ઉપજતું નથી, અને પેલા માન-માનાકાંક્ષી કોઈ અગમ્ય અયોગ્યતામાં આપણને ઉતારી દે છે. માન માનાકાંક્ષા કોઈ એવી અયોગ્યતા પરખાવી દે છે કે જેની અત્યારે કલ્પના જ ન આવે. સ્થૂલભદ્રે માનાકાંક્ષા કરી ત્યારે ક્યાં આ કલ્પના જ હશે કે ‘ હું આથી બાકીના ચાર પૂર્વોનો બોધ પામવા અયોગ્ય ઠરી જઈશ !' સાધ્વીઓ ગભરાઈને નીચે ઉતરી ગઈ અને આચાર્ય મહારાજને કહે, ‘ઉપર તો ભાઈ મહારાજ નથી, સિંહ છે.’ આચાર્ય મહારાજ ૧૪ પૂર્વધર શ્રુતકેવળી ભગવાન છે. જ્ઞાનથી વસ્તુસ્થિતિ સમજી ગયા, સાધ્વીઓને કહે, ‘જાઓ ફરીથી ઉપર જાઓ, સિંહ નહિ, ભાઈ મહારાજ મળશે.’ ગુરુવચન તત્તિ અહીં સાધ્વીઓને આચાર્ય ભગવંતનું વચન એટલે એના પર વિચાર કરતા નહિ બેસવાનું, કિન્તુ તરત માથે ધરવાનું, - આ હિસાબ છે. ‘અમે હમણાંજ નજરે સિંહ જોઈ આવ્યા છીએ અને ગુરુ આમ કેમ કહે છે કે જાઓ સિંહ નથી ભાઈ મહારાજ છે ?’ આવો કોઈ વિકલ્પ જ ઉઠાવવાનો નહિ. હવે ગુરુજી કહે છે ને કે ‘જાઓ ભાઈ મહારાજ છે, સિંહ નહિ, બસ, તહત્તિ કરીને ઉપર જવાનું. આ હિસાબ હતો એટલે લેશ ગભરાયા વહેમાયા વિના ઉપર ગઈ, અને ત્યાં તે સ્થૂલભદ્ર સ્વામી સિંહનું રૂપ સંકેલી લઈ મૂળ સ્વરૂપમાં બેસી ગયા હતા. બેનોએ વંદના કરી, સુખશાતા પૂછીને પાછી ચાલી ગઈ. અહીં બેનોએ પૂછ્યું ય નહિ હોય અને સ્થૂલભદ્ર સ્વાર્થીએ સિંહનો ખુલાસો કર્યાં ય ન હોય છતાં પોતે સમજતા રહ્યા હશે કે બેન સાધ્વીજીઓને મારી ઊંચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy