________________
સ્વાધ્યાયમાં માનાકાંક્ષા ખતરનાક
૭૩
થાય. વૈરાગ્ય સતેજ ન હોય, માનાકાંક્ષા વગેરે સંજ્ઞા સતાવતી હોય, તો અધ્યયન એ માન આદિ લૌકિક લાભને અનુલક્ષીને થવાનું, સ્વને અનુલક્ષીને નહિ, તેથી એ સાચો સ્વાધ્યાય નહિ.
સ્થૂલભદ્ર સ્વામીની ક્ષણવાર માનાકાંક્ષા :
ત્યારે માનની આકાંક્ષા કેવી ભૂંડી છે ! સ્થૂલભદ્ર સ્વામી ક્ષણવાર એમાં પડ્યા તો ૧૧માં પૂર્વથી ૧૪માં પૂર્વ સુધીનો અર્થબોધ ન પામ્યા. જાણો છો ને ? બેન સાધ્વીઓ વંદના કરવા આવી. મુકામના નીચેના ભાગમાં વાચનાચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને વંદના કરી પૂછે છે ભાઈ મહારાજ ક્યાં ?'
આચાર્ય મહારાજ કહે છે “જાઓ, ઉપર છે.' સાધ્વીઓ ઉપર ચડે છે. સ્થૂલભદ્ર સ્વામીને ખબર પડી કે બેન સાધ્વીઓ વંદન કરવા આવી રહી છે, પોતે દરિયા જેવા મોટા દશ પૂર્વી નામના શાસ્ત્રો ભણી ચૂક્યા છે. મનને એમ થયું કે “આ બેનોને હું શું ભણ્યો છું એની શી ખબર? ‘પૂર્વ શાસ્ત્રોની અદ્ભુત વિઘાઓ સુધી હું પહોંચી ગયો છું એ એમના ગાલ પર લાવું. બસ, બેનો આગળ માન લેવાની આકાંક્ષા થઈ. એણે પવિત્ર વિદ્યાનો આ ઉપયોગ કરાવ્યો કે ભણેલી વિદ્યાના બળે એમણે સિંહનું રૂપ કર્યું. બેની ઉપર ચડી. નજર પડતાં જ ગભરાણી. સાધુને જોવાની આશામાં જાય અને મોટો સિંહ જુએ તો ગભરાય જ ને ? ખટુ એ નીચે ઉતરી ગઈ. માન કેવું આંધળું છે ? માનની આકાંક્ષા કેવી આંધળી છે ?
સ્થૂલભદ્રસ્વામી માનાકાંક્ષામાં એમ સમજતા હશે કે મારી જગાએ સિંહ જોઈને બેનોને ચમત્કાર થશે કે “વાહ! મારો ભાઈ સિંહનું રૂપ બનાવી શકવાની વિદ્યા સુધી ભાગી ગયો ? પરંતુ અહીં તો ચમત્કારને બદલે ભય થયો. ભાઈએ જ આ રૂપ કર્યું છે એ ખ્યાલ આવવાને બદલે સાચેસાચ સિંહ અહીં આવી ગયાનો ખ્યાલ આવ્યો, અને એ ભય પામી. બેનોને આવું થશે એની કલ્પના જ સ્થૂલભદ્ર સ્વામીને ન આવી કયાંથી આવે ?
માન માનાકાંક્ષા જનમના અંધાપાથી ય ભૂંડા! ખરું તો દેખવા ન દે, સાચું તો ધ્યાનમાં ન આવવા દે, ઉલટું, ન હોય એના ખ્યાલ કરાવે.
ખૂબી કેવી ? દશ પૂર્વેમાંની આવી સિંહનું રૂપ બનાવી શકવાની વિદ્યા સુધીની જાણકારી પર એવુંક રૂપ બનાવવાનો ખ્યાલ આવ્યો, પરંતુ બેનો એકાએક અહીં સિંહ જોઈને ગભરાશે એ ખ્યાલમાં જ ન આવ્યું. હતું એ ખ્યાલમાં નહિ, નહોતું એ ખ્યાલમાં! બેનોને ચમત્કાર ન થયો, પણ ચમત્કાર થશે એ ખ્યાલમાં મુનિ તણાયા. ' એટલે અસત્ જોયું, સત્ ન જોયું. દશ પૂર્વમાં મોટી વિદ્યાની આવડત બીજાના ભવિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org