________________
૭૨
શુદ્ધ ધર્મસાધનાનો પાયો વૈરાગ્ય; ધર્મસાધનાની શુદ્ધિ વૈરાગ્ય. મૈત્રી-કરુણા માટે વૈરાગ્ય જરૂરી :
સાચો મૈત્રીભાવ વૈરાગ્ય પર આવે. નહિતર જો સંસારના સુખરૂપ લાગતા શબ્દરૂપ-રસ વગેરે વિષયો જ પૂરા ગમતા રહે, તો એની આડે આવતા જીવો પર મૈત્રીભાવ સ્નેહભાવ ક્યાંથી રહેવાનો ? જો સુખ બહુ ગમે છે તો એ સુખમાં ભંગ કરનાર નહિ ગમે, એના પર સ્નેહ નહિ રહે, એ દુશ્મન લાગશે. એમ સંસારના પૈસા ટકા અને સુખશીલ કાયા વગેરે જો ખૂબ જ ગમતા રહેશે, તો એને સાચવવાની લાલસામાં દુઃખી જીવો પર કરુણા ય ક્યાંથી કરશે ? મનને થશે કે ‘મારે લાગતા-વળગતા નહિ એવા એ દુઃખી જીવો પાછળ મારા વહાલા પૈસા, વહાલી કાયા, નિરર્થક ક્યાં ખરચું ?’
એટલે સાચો મૈત્રીભાવ કરુણાભાવ લાવવા ભવનિર્વેદ સંસાર-વૈરાગ્ય જરૂરી છે. એ હોય તો જ હૃદય નિર્મળ બને, ને સાચી ધર્મસાધના થાય.
હૃદયની નિર્મળતા વિના સાચી ધર્મસાધના નહિ.
વૈરાગ્ય, મૈત્રી, આદિ વિના એ હૃદયની નિર્મળતા નહિ. એમ આહારાદિ સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞા દળ્યા વિના હૈયું નિર્મળ નહિ, તેમ વૈરાગ્ય વિના એ પાપ સંજ્ઞાઓ દબે નહિ.
ધ્યાન અને જીવન
સંસાર પરના વૈરાગ્યથી જ પાપસંજ્ઞા દબાવી હૃદય નિર્મળ કરી શકાય. એમાં પહેલું મનને એમ થાય કે ‘આ આહાર-વિષય આદિની લત ભૂંડી છે, ક્રોધાદિ કષાયની લત ભૂડી છે,’ ત્યારે જ એ લત એ સંજ્ઞાને દબાવવાનું બને. જો એ આહારાદિ અને ક્રોધાદિમાં કશું ખોટું જ ન લાગતું હોય, તો પછી શું કામ એની સંજ્ઞાને દબાવે? કદાચ સ્વાર્થવશ કામચલાઉ અટકાવે તો પણ પછી એ બમણા જોરમાં કૂદશે. જેને વૈરાગ્ય નથી એના ઉપવાસ પછી પારણા કેટલા બધા આનંદભર્યા હોય છે ? જે ખુશનુમા જે તેજી ઉપવાસમાં નહિ, એ પારણામાં ! એટલે વૈરાગ્યથી સંસાર અકારો લાગે, તો જ સંસારના અંગભૂત આહાર વિષય-પરિગ્રહ વગેરે બધું અકારું લાગે, ને એ લાગવા પર એની સંજ્ઞાઓ દબાવવાનું થાય. એ થાય ત્યારે હૃદયની નિર્મળતા આવે, અને એના પર જ ચોખ્ખી ધર્મસાધના થાય.
૮. સ્વાધ્યાયમાં માનાકાંક્ષા ખતરનાક
સ્વાધ્યાય એ આભ્યન્તર તપનો ધર્મ છે. એની સાધના કરવી હોય તો પાયામાં હૃદયની નિર્મળતા જોઈએ, વૈરાગ્ય વગેરે હૃદયમાં ઝળહળતા હોય, ને પાપી આહારાદિસંજ્ઞાઓ જે અટકાવી રાખી હોય, પછી સ્વાધ્યાયની મઝા ઓર; ત્યાં સ્વાધ્યાય અર્થાત્ સ્વનો અધ્યાય થાય; સ્વને એટલે કે આત્માને અનુલક્ષીને અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org