________________
સાધનામાં પાયો અને શુદ્ધિ
૭૧
કરી એના ફળમાં પ્રભુ પાસે ભવનિવેદ પહેલો મંગાય છે. ‘હોઉ મમ... ભવનિવ્યેઓ’ એ સૂત્ર બોલાય છે. ‘હે વીતરાગ જગ્દગુરુ ! જય પામો. હે ભગવંત ! મને તારા પ્રભાવથી ભવનિવેદ હો.’ ભવ એટલે કે સંસાર પર નિર્વેદ હો. વૈરાગ્ય હો. ગ્લાનિ હો. શું ઈચ્છયું ? મોટો દેવતાઈ સુખભર્યા સંસાર ઉપર પણ અરુચિ, અનાસ્થા, કંટાળો, ઉદ્વેગ.
સંસાર પર વૈરાગ્ય કેમ ?
એટલા જ માટે કે,
(૧) સંસાર આત્માની મૂળ ચીજ નથી, પરાયી વેઠ વસ્તુ છે.
(૨) સંસારી ચીજ નાશવંત છે, પલટાતી રહે છે.
(૩) એમાં અલ્પ સુખ, અનંત દુઃખ છે.
(૪) એમાં આત્માના ક્ષમા-નિરહંકાર-નિસ્પૃહતાદિ ગુણો ભૂલાય છે, અને તારક દેવ-ગુરુ આદિનેય ભુલાય છે, ગૌણ કરાય છે.
(૫) સંસાર એટલે સંસરણ, જન્મ-મરણની પરંપરા.
(૬) સંસારમાં ગતિઓમાં ભ્રમણ, રોગ-શોક, દુઃખ દારિદ્રય વગેરેની વિટંબણા જ મળે કે બીજું કાંઈ ? વચમાં સુખ દેખાય એ તો મધુબિંદુ જેવું; પણ એની જ લંપટતામાં અનંત દુઃખ અને વેઠ વિટંબણાની તૈયારી !
(૭) સંસારે કર્મના નચાવ્યા નાચવું પડે...
(૮) સંસારમાં મોહવિષના જે કટોરા પાય એવા પોકળ સગા-સંબંધી કરવાનું
બને.
(૯) સંસારમાં માનવભવ જેવા ઊંચા સ્થાને પણ ષટ્કાય જીવોનો સંહાર અને ૧૮ પાપસ્થાનકની કૂડી રમતભર્યું જીવન પસાર કરવાનું બને છે.
(૧૦) સંસારે પુણ્ય વેચી અઢળક પાપની ખરીદી કરવાની મૂર્ખતા થાય છે. (૧૧) સંસારમાં પુણ્યના ઉદય પાપના ઉદયથી કલંકિત ભોગવવા પડે છે. આવા સંસાર પર શો આદર થાય ? એને શી રીતે સારો મનાય ? દિલ ઉદ્વિગ્ન રહે કે ‘આ કેવી બલા ! કેવો ફાંસલો ! કેવી વિટંબણા ! ક્યારે આ છૂટે ?' મનને એમ બેસી જાય કે આ તો આત્માના પોતાના શુદ્ધ જ્ઞાન-દર્શનમય ઘરને ભૂલી પારકા ઘરમાં-રખડવાનું થાય છે. એ મહાન ભુલામણી છે, દુઃખદ છે.
દિલમાં આવા સંસાર પર વૈરાગ્ય જાગતો રહે ત્યારે એને છોડાવનાર ધર્મ ખરેખરો ગમે; એ ધર્મ ખરેખર ગમે તો જ સાચી ચોખ્ખી ધર્મસાધના થાય. જો સંસાર યાને સંસારનાં સુખ-સન્માન ગમતાં રહે, તો તો ધર્મ સાધના શુદ્ધ ધર્મના રાગથી નહિ, આત્માને બંધનથી છોડાવવા માટે નહિ, કિન્તુ નવો સંસાર વધારવા માટે થવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org