SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ | ધ્યાન અને જીવન જૂથ આકરી તપસ્યાથી કાયાને કયા કયા કચર્યા વિના હેઠા નહિ ઉતરે. એ લોજિક (Logic) એ ન્યાય પ્રભુનાં મનમાં વસેલું હતું. માટે એકલા ભાવથી ન પતાવ્યું, પણ “ધોર તપે કેવળ લહ્યા એના પવિજય નમે પાયા; તપસ્યા કરતાં કરતાં હો કે ડંકા જોર બજાયા, ત્યારે શાલિભદ્રને દેવતાઈ નિત્ય નવાણું પેટીના વૈભવ અને ૩ર દેવાંગનાશી તરુણ રમણીઓના મહાત્યાગ કરી ચારિત્ર લેતા આવડ્યું. તો એમનાં અંતરના ભાવ કેટલા બધા ઊંચા ? તો પછી ચારિત્ર લીધા બાદ એમણે એકલા ભાવથી કેમ ન પતાવ્યું? કેમ કાળી તપસ્યા કરી ? કહો, એક હિસાબ, આ કાયા સુંવાળી સુંવાળી રાખીને સંઘરેલાં કર્મ કાયાને તપ આદિ સાધનામાં ગદરવાથી કસવાથી કચરવાથી જ હેઠા ઊતરે.' સુંદરીને સ્ત્રીત્વ કેમ ? સુંદરીએ પોતાના અંતરાય કર્મ તોડવા ૬૦ હજાર વર્ષ આંબેલની ઘોર તપસ્યા કરી. ત્યારે એ કેટલો બધો ઊંચો આત્મા ? બ્રાહ્મી અને સુંદરીને સ્ત્રીનો અવતાર કેમ મળ્યો ? જો હોં, એ બ્રાહ્મી સુંદરી ભગવાન ઋષભદેવ, ભરત-બાહુબલી અને શ્રેયાંસના આત્મા સાથે પૂર્વ ભવે સમાન ચારિત્ર પાળી એમની સાથોસાથ અનુત્તર વિમાનમાં વસીને આવેલી છે તો અહીં એ ચારને પુરુષ-અવતાર અને આ બેને કેમ સ્ત્રી-અવતાર ? કારણ આ, કે પૂર્વે આ બંનેને એક વાર ધર્મસાધનાનો પાયો ગુમાવ્યો, શુદ્ધિ ગુમાવી, તેથી ગુણસ્થાનકથી હેટાં ઉતરી ગયા. પૂર્વે આ બંને પીઠ-મહાપીઠ મુનિ હતા અને ભરત-બાહુબલી પૂર્વે બાહુ-સુબાહુ મુનિ હતા. આચાર્ય મહારાજે બાહુ સુબાહુ મુનિના ભક્તિ વૈચાવ ગુણની પ્રશંસા કરી તે પીઠ મહાપીઠ મુનિ સહન કરી શક્યા નહિ. એમને ઈર્ષા થઈ, મૈત્રી આદિ ચાર શુભ ભાવોમાંનો પ્રમોદભાવ ગુમાવ્યો, વળી આ સહન ન થયું તે મનમાં છૂપાવ્યું, અને બહાર દેખાવથી પ્રશંસામાં હાજી હા કરી એ માયાસંલ્લામાં તાણાયા. થયું? પાયો અને શુદ્ધિ ગુમાવી, તો ધર્મ ગુમાવી સ્ત્રી વેદ ઉપાજર્યું. મૈત્રી-પ્રમોદ-કરુણા-માધ્યશ્ય એ ચારમાં એક પણ પાયે જો ગુમાવ્યો, અને આહાર-વિષય-પરિગ્રહ-ભય (નિદ્રા) તથા ક્રોધ-માન-માયા-લોભ એ આઠમાંની એક પણ સંજ્ઞાના રોકાણની શુદ્ધિ જો ગુમાવી, તો એ ઊંચી પણ ધર્મસાધનાને પાયા વિનાની અને શુદ્ધિ વિનાની બનાવી દેવા સમર્થ છે. આમાં સાથે વૈરાગ્યનો પાયો અને શુદ્ધિ જરૂરી સમજવાની. વૈરાગ્ય પણ પાયામાં જરૂરી; વૈરાગ્ય વિના શુદ્ધિ નહિ. માટે તો દ્રવ્ય-ભાવપૂજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy