________________
સાધનામાં પાયો અને શુદ્ધિ
૬૯
રોલે એમ છે. છતાં સુંદરીને એની લેશ પણ લાલસા ન જાગી, અને ભરતના પોતાની ઉપરના મોહને ઉતારવા, એણે ૬૦ હજાર વર્ષ આયંબિલ જેવો મહાતપ કરી કાયાને સુક્કી-ભુખી-લુખી બનાવી દીધી ! કેટલો જવલંત વૈરાગ્ય! હવે ભરત શો મોહ રાખી શકે ? ઉતરી ગયો મોહ.
વિરાગીનું અંતરાય તોડવા કર્તવ્ય :
આજે કેટલાક વૈરાગીને ચારિત્રની રજા નથી મળતી. પરંતુ એમને આ ઉપાય સૂઝતો નથી. બીક લાગે છે કે ‘હાય ! શરીર ઉતરી જાય તો ? અરે! ઉતરી ગયેલા શરીરને પાછું ચડતાં કેટલી વાર ? મોટા માસખમણી ને બેમાસખમણીનેય શરીર નથી ઉતરી જતું ? તે શું પારણાં પછી એવું દુબળું જ રહે છે ? ના, પાછું દિવસો જતાં એનું એ ભરેલું થઈને ઊભું રહે છે. તો પછી આંબેલ આદિ તપથી એક વાર ઉતારી દેવામાં ડર શો ? એમાં સામાનો મોહ પણ ઊતરે અને પોતાનાં અંતરાયાદિ કેટલાંય પાપકર્મોના ભુક્કા થાય.
તપ વિના સિદ્ધિ કયા ? માત્ર ચારિત્ર જ શું કોઈ પણ શુભ કામ સિદ્ધ કરવા તપસ્યા એ અદ્ભુત ઉપાય છે. અનંતા જ્ઞાની તીર્થંકર ભગવાનનું ભાખેલું આ વૈદું છે કે
‘તપ ઔષધથી કર્મ-રોગ જાય.’
સર્વજ્ઞના પ્રીસ્ક્રીપ્શનમાં મીન-મેખ ફેરફાર પડે નહિ. સર્વજ્ઞના આ પ્રીસ્ક્રીપ્શન પર દવાના નિશ્ચિત પ્રતિપાદન પર, શ્રદ્ધા જોઈએ. કન્સલ્ટીંગ એમ. ડી. ડાકટરનું પ્રીસ્ક્રીપ્સન એક વાર સફળ ઉપયોગ કરી લીધા પછી વર્ષો સુધી શ્રદ્ધાથી સાચવી રખાય છે ને ? ત્યારે આ સર્વજ્ઞનું પ્રીસ્ક્રીપ્શન કે જેના પર અસંખ્ય આત્માઓએ પોતાના કર્મરોગ નાબૂદ કર્યાં. એના પર શ્રદ્ધા નહિ ? કેવી કંગાળ દશા ? ક્યારે ઊંચા આવવાનું ? ‘ખાધ્યે પીધ્યે દિવાળી રાખો. બાહ્યતપ તો લાંધણ છે, જડની ક્રિયા છે. એથી ચેતનનું શું વળે ? કર્મ તો મનના ભાવથી તૂટી જશે' એવા અજ્ઞાનીઓના હિસાબ ધરી રાખવામાં તો ખાડામાં જ પડ્યા રહેવાની કંગાળ દશા રહે છે.
વિચાર તો કરો કે શું મહાવીર ભગવાનને એકલા મનના ભાવ સારા રાખતાં નહોતું આવડતું ? અરે ! એમણે ખાધું-પીધું હોત તો ય મનના ભાવ ઊંચા રાખી શકત. આપણે તો જો એમ કરવા જઈએ તો સારા ભાવનો ચાળો જ થાય. ઢોંગધતૂરો જ થાય. પ્રભુનો તો વૈરાગ્ય જબરદસ્ત હતો. સારું ખાતા ય એને એ વૈરાગ્યની ધૂળ જેવું કરી શકતા. છતાં એમણે ખાધ્યે પીધ્યે દિવાળી ન કરી, ઘોર તપસ્યાઓ કરી. કેમ વારુ ? પૂર્વ ભવોમાં શરીરના અમનચમનિયાથી ભરપૂર ભેગાં કરેલાં કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org