________________
સાધનામાં પાયો અને શુદ્ધિ | શાની કહેવાય ? એમ ચિત્ત એ સંજ્ઞામાં એ વિચારમાં પરોવાયું એટલે પછી સાધનામાં એકાગ્ર હોય જ શાનું ? અરે ! મનમાં જો એટલું જ હોય કે “આ સ્વાધ્યાય કે પ્રતિકમણાદિ કરીને ઝટ સૂઈ જવું છે.' અર્થાત નિદ્રાની સંજ્ઞા સળવળે છે. તો પણ એ સ્વાધ્યાયાદિ કેમ જાણે ઈષ્ટ નિદ્રાના વિરોધી બની નિદ્રાની આડે આવનારા લાગશે, એથી મન એમાં થાકેલું રહેશે. ઉલ્લાસીને બદલે કંઈક ખિન્ન જેવું રહેશે અને આ થાક ખેદ એ કિયાનો મોટો દોષ છે. એ ક્રિયાને દોષિત કરે છે. કૂચા જેવી સધાવે છે.
પોડશક શાસ્ત્ર' કહે છે. ક્રિયામાં ખેદ-ઉગ-ક્ષેપ (અન્યાન્ય બાબતમાં ચિત્ત જવું તે)... વગેરે એ સાધનાના આઠ દોષ કહ્યા છે. એ સાધનાને દૂષિત કરી દે છે, માલ વિનાની કરી નાખે છે. માટે કહ્યું -
સેવન કારાણ પહેલી ભૂમિકા, અભય-અષ-અખેદ.”
આવા કોઈને કોઈ દોષ કે કોઈ ને કોઈ પાપસંજ્ઞા સળવળ્યા કરતી હોય ત્યાં પછી ધર્મસાધના ફોફા જેવી નિસ્સાર અને મરવા પડેલાની જેમ મુડદાલ કરાયે જાય એ સ્વાભાવિક છે; અને એવી ને એવી મુડદાલ સાધનાઓ ભલે ને ઘણી વાર કર્યો ગયા, છતાં દિલને એની મમતા ન થાય એમાં રસ ન આવે એ પણ સહજ છે. એટલે તો ફરિયાદ થાય છે કે ધર્મ કરીએ છીએ ખરા, પણ એમાં એવો રસ નથી આવતો, ઊલટ નથી અનુભવાતી'. ઉપવાસ - જાપમાં કેવા ભાવ જોઈએ ?
જુઓ અનુભવ શો છે ? ઉપવાસ તો કેટલીય વાર કર્યા હશે, તો એથી એનો અભ્યાસ વધ્યો એટલે હવે ઉપવાસ ઉલટભેર થઈ આખો દિવસ ખુશનુમા પસાર થાય છે ખરો ? શું દિલને એમ થાય છે ખરૂ કે “વાહ આજે ખાવાની બલામાંથી છુટયો, ધન્ય દિવસ મારો !” રાત પડતાં ન ખાધાનો આનંદ વધી જાય છે ? કે પારણું નજીક આવ્યાની નિરાંત ઠંડક અનુભવાય છે ?
ત્યારે નવકારવાળી ગણતાં આનંદ થાય છે ખરો કે “હાશ ! કેવું મઝાનું પાપ વિચારોથી અને ચંચળ ચિત્તથી બચવાનું મળ્યું ? કેવો સુંદર પ્રભુનામની રટણાનો યોગ ! ધન્ય જીવન ! ધન્ય સમય ! જો ઘડી જાયે પ્રભુ કે નામમેં, ધન ધન ભવી માનો.”
છે આ ઉલટ ? સાધના કરતાં રહે છે હરખ હરખ ? જો ના, તો એનું કારણ શું ? સાધના તો અનેકાનેક વાર કરી, પછી ય આમ કેમ ? સાવધાનીથી જોશો તો દેખાશે કે કોઈ સાધનાને પાયાવાળી કે શુદ્ધ આરાધી જ ક્યાં છે? અમૈત્રી આદિ એક યા બીજો દુષ્ટ ભાવ અથવા આહારની નિદ્રાની ભયની વગેરે કોઈને કોઈ સંજ્ઞા સતાવતી રહેતી હોય, પછી પાકા પાયાવાળી અને વિશુદ્ધ ચોખી ચકચકતી વિશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org